પાકિસ્તાન પર ભયંકર તબાહી તોળાઈ રહી છે : બરબાદીના કાઉન્ટ ડાઉન શરૂ
- અત્યારે જ 21 ટકા જળની કમી છે, પંજાબ અને સિંધ બંનેમાં સિંચાઈ સિંધુ રીવર સિસ્ટમ ઉપર આધારિત છે
નવી દિલ્હી : પાકિસ્તાનમાં અત્યારે જ ૨૧ ટકા જળની ખેંચ છે. પંજાબ અને સિંધ પ્રાંતમાં સિંચાઈનો સંપૂર્ણ આધાર સિંધુ રિવર સીસ્ટીમ ઉપર છે. આ સીસ્ટીમ ઝેલમ, ચીનાબ અને સિંધુમાંથી જળ પ્રાપ્ત કરે છે. પાકિસ્તાનની ઇન્ડુસ રિવર સીસ્ટમ ઓથોરિટી (આઈઆરએસએ) માં તાજા આંકડા દર્શાવે છે કે દેશમાં ૨૧ ટકા જળની ખામી છે.
ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને અનેક મોરચા પર ઘેરવું શરૂ કર્યું છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિના કરારોમાં તે પણ કલમ હતી કે એક બીજા દેશે એક બીજા દેશમાં દખલ નહીં કરવી અને આતંકવાદ ખતમ કરવો.
આતંકવાદ કદાચ પાકિસ્તાનના ગળા સુધીમાં છે. તેના આતંકીઓ તો વિશ્વભરમાં કુખ્યાત થઈ ગયા છે. તેથી જ ભારતે સિંધુ જળ સંધિનું જળ અટકાવી દીધું તેથી અત્યારે જ દુષ્કાળ સમાન પરિસ્થિતિ પ્રવર્તે છે. આથી પાકિસ્તાને આટલી આડઅસરો થવા સંભવ છે. પાકિસ્તાન ઇન્ડુસ રીવર ઓથોરિટીના તાજા આંકડા દર્શાવે છે કે અત્યારે જ દેશમાં ૨૧ ટકા જળ ઓછું છે. પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં સિંચાઈ સિંધુ રિવર સીસ્ટીમ પર આધારિત છે તેથી ખેતી પર સીધી ઋણાત્મક અસર પડવા સંભવ છે. સિંધુ રિવર સીસ્ટીમમાં ઝેલમ અને ચિનાબ અહમ છે.
ભારતે ચીનાબનું પણ જળ રોક્યું છે આથી પાકિસ્તાનને ભારે ઝટકો લાગે તેમ છે. સહજ છે કે સિંચાઈ ન મળતાં ખરિફ ફસલ માટે લગભગ પાણી જ નથી. મોટા ડેમમાં જળ સ્તર નીચે ગયા છે.
બે મુખ્ય સરોવરોમાં પાણી ઉતરી ગયાં છે. ઝેલમ ઉપરનો મંગલા ડેમ અને સિંધુ ઉપરનો તરબેલા ડેમ સમાવિષ્ટ છે.
આમ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને આ બહુ મોટો ફટકો પડી રહ્યો છે. આમ તેની તબાહીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યા છે.