Get The App

VIDEO: ઈઝરાયલના હુમલાના જવાબમાં ઈરાને આખી રાત મિસાઈલો ઝીંકી, 1નું મોત, અનેક ઘાયલ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: ઈઝરાયલના હુમલાના જવાબમાં ઈરાને આખી રાત મિસાઈલો ઝીંકી, 1નું મોત, અનેક ઘાયલ 1 - image


Iran Attacks Israel with 100+ Missiles After Airstrike: મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી વિશ્વ વધુ એક યુદ્ધના દરવાજે ઊભું છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક બાદ ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. ઈરાને લગભગ 150 જેટલી મિસાઈલથી ઈઝરાયલને રાતભર હચમચાવી નાખ્યું હતું. 

તહેરાન ટાઈમ્સના અહેવાલ અનુસાર ઈરાને ઇઝરાયલ પર 100થી વધુ મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાન દ્વારા આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3’ નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. 



ઇઝરાયલ પર હુમલા મામલે ઈરાને શું કહ્યું?

IRGSએ સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું છે, કે ‘ઇઝરાયલે કરેલા હુમલાના જવાબમાં ઈરાને સશક્ત અને સટીક કાર્યવાહી કરી છે.’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ સોશિયલ મીડિયા પર કહ્યું, કે ‘ઈરાનના લોકો અમારી સાથે છે. ઈરાની સશસ્ત્ર દળો ઇઝરાયલ પર જીત હાંસલ કરશે.’

બીજી તરફ ઇઝરાયલની સેનાએ પણ ઈરાનના હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે અમે મિસાઇલોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આગામી નિર્દેશ સુધી ઇઝરાયલના તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાન પર આશ્રય લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.

મિસાઈલ હુમલા બાદ સમગ્ર ઇઝરાયલમાં એલર્ટ, સાયરન વાગી

\ઈરાન પાસે સમય છે, ડીલ કરો નહીંતર હજુ હુમલા થશે: ટ્રમ્પ 

ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, કે ‘મેં ઈરાનને ડીલ કરવા માટે અનેક તક આપી. ઈરાને બચવું હોય તો હજુ સમય છે, નરસંહારને રોકવા માટે ડીલ કરી લેવી જોઈએ નહીંતર હજુ યોજનાબદ્ધ અને ક્રૂર હુમલા થશે.અમેરિકા દુનિયાના સૌથી ઘાતક સૈન્ય ઉપકરણ બનાવે છે અને ઇઝરાયલ પાસે તેનો ભંડાર છે. આવનારા સમયમાં હજુ ઘણું થશે. ઈરાનના જે કટ્ટરપંથીઓ બહાદુરીની વાતો કરતાં હતા એ બધા માર્યા ગયા.’

ઇઝરાયલનો ઈરાન પર હુમલો, સેનાના ટોપ કમાન્ડર અને વિજ્ઞાનીઓના મોત

અગાઉ ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો જેમાં ઈરાનના 20 ટોપ કમાન્ડર સહિત 75થી વધુ લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ઈરાનની આર્મી તથા એરફોર્સના ચીફ પણ સામેલ છે. ઈરાનના છ વિજ્ઞાનીઓએ પણ જીવ ગુમાવ્યા. ઇઝરાયલ દ્વારા ઈરાન પર કુલ પાંચ તબક્કામાં હુમલો કરાયો હતો. જેને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું. 

ઈરાનની કડક ચેતવણી

ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના નવા IRGC પ્રમુખ એટલે કે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વડાએ ચેતવણી આપી હતી, કે ‘ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતાના ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપીશું. ઇઝરાયલે ભયંકર અને વિનાશકારી પરિણામોનો સામનો કરવો પડશે. ઇઝરાયલની સરકાર માટે નરકના દ્વાર ખોલી નાંખીશું.

આખરે ઇઝરાયલે હુમલો કર્યો જ કેમ? 

નોંધનીય છે કે ઈરાન તેજીથી પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે અને અહેવાલો અનુસાર તેમને સફળતા પણ મળી રહી હતી. એવામાં અમેરિકા અને ઇઝરાયલ નથી ઇચ્છતા કે ઈરાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ બને. 

ઈરાનની મસ્જિદ પર લાલ ધ્વજ

નોંધનીય છે કે ઈરાનની જામકરાન મસ્જિદના ગુંબજ પર લાલ ધ્વજ ફરકાવી દેવાયો છે. આ લાલ ધ્વજ ઇસ્લામમાં બલિદાન અને બદલાનું પ્રતીક માનવામાં આવે છે. આ ધ્વજ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના નિધન અથવા તો વેર વાળવાના સંકલ્પનું પ્રતીક છે. 

Tags :