No Smoking: દેશમાં હવે યુવાનોના ધૂમ્રપાન પર પ્રતિબંધ,જાણો શું છે 'વર્લ્ડ ફર્સ્ટ ટોબૈકો લૉ'
નવી
દિલ્હી,તા. 14 ડિસેમ્બર 2022, બુધવાર
ન્યુઝીલેન્ડ સરકાર હવે યુવાનોના ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. આ અંગે સરકારે મંગળવારે સંસદમાં એક કાયદો પસાર કર્યો છે, જેના પછી ન્યુઝીલેન્ડની આવનારી પેઢીઓ (1 જાન્યુઆરી,2009 પછી જન્મેલી) પર તમાકુ ખરીદવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. સરકાર અનુસાર, તે વિશ્વના સૌથી કડક કાયદાઓમાંનો એક છે.
નવા કાયદામાં 1 જાન્યુઆરી, 2009ના રોજ અથવા તે પછી જન્મેલા કોઈપણ વ્યક્તિને તમાકુ વેચવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. કોઈપણ ઉલ્લંઘન કરતુ જોવા મળે તો તેને NZ$150,000 ($95,910) સુધીનો દંડ થઈ શકે છે. વધુમાં, ધૂમ્રપાન પર પ્રતિબંધ વ્યક્તિના સમગ્ર જીવન માટે અમલમાં રહેશે. આ દેશે આગામી પેઢી માટે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાનો વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે.
નિકોટિનનું પ્રમાણ પણ ઘટાડશે
ન્યુઝીલેન્ડમાં પસાર થયેલા આ કાયદા અનુસાર, તે ધૂમ્રપાન માટે ઉપયોગમાં લેવાતા તમાકુ ઉત્પાદનોમાં નિકોટીનની માત્રામાં પણ ઘટાડો કરશે, જ્યારે તમાકુ વેચવા માટે સક્ષમ છૂટક વેપારીઓની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો કરશે. એક નિવેદનમાં, એસોસિયેટ હેલ્થ મિનિસ્ટર ડૉ. આયેશા વેરાલે કહ્યું કે આ કાયદો ધૂમ્રપાન મુક્ત ભવિષ્ય તરફ પ્રગતિને વેગ આપશે. કાયદો પસાર થયા પછી હજારો લોકો લાંબુ જીવશે, સ્વસ્થ જીવન જીવશે અને આરોગ્ય પ્રણાલી વધુ સારી બનશે કારણ કે ધૂમ્રપાનથી થતા રોગો જેવા કે કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા ઘણા પ્રકારનાં રોગો, જેની સારવાર કરવી પણ ખૂબ ખર્ચાળ છે 2023 ના અંત સુધીમાં તમાકુ વેચવા માટે લાયસન્સ ધરાવતા છૂટક વિક્રેતાઓની સંખ્યા 6,000 થી ઘટાડીને 600 કરવામાં આવશે.
ધૂમ્રપાન વિરોધી કડક કાયદા
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, ન્યુઝીલેન્ડ 2025 સુધીમાં દેશને ધૂમ્રપાન મુક્ત બનાવવા માટે ધૂમ્રપાન વિરોધી કાયદાને વધુ કડક બનાવી રહ્યું છે.
2010માં જ ભૂટાનમાં સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેવી જ રીતે, ન્યુઝીલેન્ડમાં ધૂમ્રપાન વિરોધી કડક કાયદા હશે.
ધૂમ્રપાન કરનારાઓની સંખ્યા
ન્યુઝીલેન્ડમાં પુખ્ત ધૂમ્રપાન કરનારાઓની સંખ્યા પાછલા દાયકામાં અડધાથી ઘટીને આઠ ટકા થઈ ગઈ છે, ગયા વર્ષે ધૂમ્રપાન ન કરનારાઓની સંખ્યા 56,000 હતી.
OECD ડેટા સૂચવે છે કે, 2021 માં, 25 ટકા ફ્રેન્ચ પુખ્ત વયના લોકો ધૂમ્રપાન કરશે. જો કે કેટલાક સાંસદોએ આ કાયદાને લઈને સંસદમાં વિરોધ કર્યો હતો. તેમણે કાયદાની નિંદા કરતા કહ્યું કે, તે નાની દુકાનોને નાબૂદ કરશે અને લોકોને કાળાબજારમાં જવા માટે દબાણ કરશે.