જમીયત-એ-ઉલેમાએ નેપાળે પણ વિરોધ પ્રદર્શન કર્યું
હિન્દુ બહુમતીવાળા આ દેશમાં બીરગંજ, જનકપુરધામ, ગોળબજાર સહિત અનેક સ્થળોએ પ્રદર્શનકારીએ ઇસ્ટ વેસ્ટ હાઈવે પણ બ્લોક કર્યો
૧૮મી ડિસેમ્બરે ૨૪ વર્ષીય દીપુચંદ્રદાસની કહેવાતી ઇશ-નિંદાના તદ્દન ખોટા આરોપસર મારી મારીને અધમુવો કરી હજી મરી ગયો ન હતો ત્યાં જ ઝાડ પર ફાંસી આપી જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત બુધવારે અમૃતમંડળ, દિધા સ્મ્રાટની પણ આવી જ રીતે ક્રૂર હત્યા કરાઈ હતી.
વાસ્તવમાં મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ બેફામ બની રહ્યા છે. અને હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓ ઉપર જુલ્મ ગુજારાય છે. આથી હિન્દુ બહુમતીવાળા આ દેશમાં ઠેર ઠેર બાંગ્લાદેશની યુનુસનાં નેતૃત્વવાળી સરકાર વિરૂદ્ધ નારાબાજી અને પ્રદર્શન થઈ રહ્યા છે. દેખાવકારોએ કેટલોક સમય ઇસ્ટ-વેસ્ટ હાઈવે પણ થંભાવી દીધો હતો.
માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ જમીયત-એ-ઉલેમા-એ-નેપાળ નામક મુસ્લીમ સંગઠને માત્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા જુલ્મોનો વિરોધ કર્યો છે.


