Get The App

'અમે કોઈ પણ જાનવરની કુરબાની નહીં આપીએ', મુસ્લિમ દેશનો બકરી ઇદ નિમિત્તે મોટો નિર્ણય

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
'અમે કોઈ પણ જાનવરની કુરબાની નહીં આપીએ', મુસ્લિમ દેશનો બકરી ઇદ નિમિત્તે મોટો નિર્ણય 1 - image


Morocco Bans Qurbani: ઇદ-ઉલ-અઝહા અથવા બકરી ઇદ આ મહિનાની 6 અને 7 તારીખે ઊજવવામાં આવશે. આ દિવસે ઇસ્લામ ધર્મમાં માનનારા બકરા કે અન્ય કોઈપણ પ્રાણીની કુરબાની આપે છે. ત્યારે 99 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઇસ્લામિક દેશ મોરોક્કોએ કુરબાની અંગે કડક આદેશો આપ્યા છે કે કોઈ પણ નાગરિક ઇદ પર બકરા અથવા અન્ય કોઈપણ પ્રાણીની કુરબાની નહીં આપી શકે. 

મોરોક્કોમાં કુરબાની રોકવા માટે કાર્યવાહી શરુ

મોરોક્કોના રાજા મોહમ્મદ VIના શાહી ફરમાનથી લોકો ખૂબ ગુસ્સે છે કારણ કે તેમના આદેશ પછી, સુરક્ષા દળોએ ઘણાં શહેરોમાં કુરબાની રોકવા માટે કાર્યવાહી શરુ કરી દીધી છે. ઇસ્લામમાં બકરી ઇદના દિવસે કુરબાનીને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. બકરી ઇદ મુસ્લિમોને તેમની ફરજ નિભાવવાનો અને અલ્લાહમાં વિશ્વાસ રાખવાનો પેગામ આપે છે.

મોરોક્કોના રાજાએ કુરબાની પર પ્રતિબંધ કેમ મૂક્યો?

મોહમ્મદ VIએ ભયંકર દુષ્કાળને કારણે પ્રાણીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે, 'લોકોએ આ અઠવાડિયે આવતા બકરી ઇદના તહેવારની ઉજવણી પ્રાર્થના અને દાન કરીને કરવી જોઈએ અને કુરબાની ટાળવી જોઈએ.'

રાજાના આ નિર્ણય પછી અધિકારીઓએ પ્રાણીઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને ગુપ્ત રીતે કુરબાની માટે લાવવામાં આવેલા ઘેટા ઘરોમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. સરકારના આ પગલાંથી લોકો ખૂબ ગુસ્સે છે અને વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

આ પણ વાંચો: ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’

મોરોક્કન સરકારના નિર્ણય અંગે મુસ્લિમો શું વિચારે છે?

મુસ્લિમ વિશ્વએ પણ મોહમ્મદ VIના નિર્ણય સામે વાંધો ઊઠાવ્યો છે અને તેને એક ખતરનાક ઉદાહરણ ગણાવ્યું છે. તેઓ એમ પણ કહે છે કે સરકાર ધાર્મિક રિવાજોમાં દખલ કરી રહી છે. જો કે, કેટલાક લોકો સરકારના નિર્ણય સાથે સંમત છે અને આર્થિક અને આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયનો બચાવ કરી રહ્યા છે.

'અમે કોઈ પણ જાનવરની કુરબાની નહીં આપીએ', મુસ્લિમ દેશનો બકરી ઇદ નિમિત્તે મોટો નિર્ણય 2 - image

Tags :