'નીંદ ગામ' અહી લોકો ચાલતાં- ચાલતા સુઈ જાય છે, પહેલો કિસ્સો 2010માં સામે આવ્યો હતો
કજાકિસ્તાનના કલાચી ગામમાં એક અજીબ બીમારી માટે ઓળખવામાં આવે છે
વૈજ્ઞાનિકો અત્યાર સુધી આ ઊંઘની બીમારીનું સાચુ કારણ શુ છે, તેની તપાસ કરી ચુક્યા નથી
Image Envato |
તા. 2 જુલાઈ 2023, રવિવાર
દુનિયામાં દરેક દેશોમાં વિવિધ સંસ્કૃતિ, રીત- રિવાજ, ધાર્મિક અને સામાજીક ધોરણો અલગ-અલગ જોવા મળે છે. આમ તો દરેક જગ્યાની ઓળખ અલગ- અલગ હોય છે, તે જ રીતે આ ગામની એક ખાસ ઓળખ છે. ભલે પછી તે બીજાથી અલગ હોય પરંતુ આવી જ એક ખાસ ઓળખના કારણે ગામમાં ચર્ચા જોવા મળે છે. આવુ જ આ કલાચી ગામની વાત પણ અજાયબી છે. આ ગામની અનોખી ઓળખ એ છે કે ગામનો લોકો ગમે ત્યારે ક્યાય પણ ચાલતા ચાલતા સુઈ જાય છે, તેમજ વાત કરતા કરતા અચાનક સુઈ જાય છે.
કજાકિસ્તાનના કલાચી ગામમાં એક અજીબ બીમારી માટે ઓળખવામાં આવે છે
આ વાત ભલે તેમને અજાયબી લાગશે પણ આ સાચી વાત છે. પરંતુ હવે એવુ નથી, પરંતુ આ ગામની એક અલગ ઓળખ જરુર બનાવી છે. અને તેમા મહત્વની વાત એ છે કે વૈજ્ઞાનિકો પણ અત્યાર સુધી આ ઊંઘની બીમારીનું સાચુ કારણ શુ છે. તેની તપાસ કરી ચુક્યા નથી. કજાકિસ્તાનના કલાચી ગામમાં એક અજીબ બીમારી માટે ઓળખવામાં આવે છે. આ ગામના લોકો મહિનાઓ સુધી સુતા રહે છે, એટલા માટે આ ગામને સ્લીપી હોલો પણ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ આ ગામમાં જાય છે ત્યાર લોકો સુતા જ જોવા મળે છે.ગામલોકોની આવી બીમારીના કારણે અત્યાર સુધીમાં કેટલીયે શોધ કરવામાં આવી છે પરંતુ તેના પર કોઈ પરિણામ મળ્યુ નથી.
ધીર- ધીરે આ બીમારી પુરા ગામમાં ફેલાઈ ગઈ
કલાચી ગામના લોકો જ અચાનક સુઈ જવાનો પહેલો કિસ્સો 2010માં સામે આવ્યો હતો. પહેલીવાર સ્કુલમાં કેટલાક બાળકો અચાનક ફર્શ પર પડી ગયા હતા અને તેની સાથે સુઈ ગયા હતા. અને ધીરે ધીરે આ બીમારી આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. અને તે પછી આ વાત હવાની જેમ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ પછી વૈજ્ઞાનિકોએ પણ શોધ કરી હતી પરંતુ તમામ પ્રયાસ કરવા છતા કોઈ આ સમસ્યા વિશે ચોક્કસ તારણ પર આવી શક્યા નથી. અને એક રિપોર્ટ પ્રમાણે 2015માં આ બીમારી અચાનકથી ખત્મ થઈ ગઈ. પરંતુ આ નીંદના ચોક્કસ કારણ વિશે કોઈ માહિતી મળી નથી.