World

ઇઝરાયલ-લેબેનોન વચ્ચે 34 વર્ષ બાદ ઐતિહાસિક મંત્રણા: ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સ્વાગત, પશ્ચિમ એશિયામાં રાજકારણમાં મોટા ફેરફારના સંકેત

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન બાદ હવે ઈઝરાયલ અને લેબેનોન પણ વાતચીત માટે રાજી થયા છે. ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે લગભગ 34 વર્ષ બાદ પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય સીધી વાતચીત શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ખુશી વ્યક્ત કરતા તેને એક ‘શાનદાર’ શરૂઆત ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇઝરાયલ-લેબેનોન વચ્ચે 34 વર્ષ બાદ ઐતિહાસિક મંત્રણા: ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સ્વાગત, પશ્ચિમ એશિયામાં રાજકારણમાં મોટા ફેરફારના સંકેત

Israel-Lebanon Talks After 34 Years : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન બાદ હવે ઈઝરાયલ અને લેબેનોન પણ વાતચીત માટે રાજી થયા છે. ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે લગભગ 34 વર્ષ બાદ પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય સીધી વાતચીત શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ખુશી વ્યક્ત કરતા તેને એક ‘શાનદાર’ શરૂઆત ગણાવી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ થયા ખુશ

ટ્રમ્પે કહ્યું છે કે, ઇઝરાયલ અને લેબનાન વચ્ચે રાહત અપાવવાના પ્રયાસો કરી રહ્યો છું. બંને નેતાઓએ 34 વર્ષથી વાત કરી નથી, હવે વાત થશે. આ ખૂબ સારું છે. અમેરિકા આ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની હાજરીમાં આ સીધી વાતચીત યોજાઈ હોવાના અહેવાલ છે, જેને તણાવ ઘટાડવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.


ઈરાન સાથેના સીઝફાયરથી અલગ છે આ મંત્રણા

અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે ઇઝરાયલ-લેબેનોન વચ્ચેની આ વાતચીતને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા બે સપ્તાહના સીઝફાયર સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકાના અધિકારીઓના મતે, આ એક સ્વતંત્ર રાજદ્વારી પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ્ય ઇઝરાયલની ઉત્તરી સરહદ પર શાંતિ સ્થાપિત કરવાનો છે. જો કે, લેબેનોનમાં સક્રિય સંગઠન હિઝબુલ્લાહ આ મંત્રણા કે ટૂંકા ગાળાના યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકારશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

સ્થાયી શાંતિ પર ધ્યાન

અમેરિકા અત્યારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાને બદલે બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. ઇઝરાયલ અત્યારે લેબેનોનમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળાના યુદ્ધવિરામ પર વિચાર કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ કાયમી શાંતિ કરારનો માર્ગ મોકળો થઈ શકે.