World

શાંતિના નામે ટ્રમ્પનો ડ્રામા! ઈરાનનો દાવો- ગુપ્ત રીતે જમીન પર સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા

By GS TEAM
29 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને આજે 30 દિવસ થઈ ગયા છે, ત્યારે ઈરાની સંસદના સ્પીકરે અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્પીકર મોહમ્મદ ગાલિબાફે દાવો કર્યો છે કે, ‘અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ ગુપ્ત રીતે ઈરાનમાં ઘૂસી જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.’

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિના નામે ટ્રમ્પનો ડ્રામા! ઈરાનનો દાવો- ગુપ્ત રીતે જમીન પર સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા

US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને આજે 30 દિવસ થઈ ગયા છે, ત્યારે ઈરાની સંસદના સ્પીકરે અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્પીકર મોહમ્મદ ગાલિબાફે દાવો કર્યો છે કે, ‘અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ ગુપ્ત રીતે ઈરાનમાં ઘૂસી જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.’ 

ઈરાની સંસદના સ્પીકરે અમેરિકાને ફેંક્યો પડકાર

ઈરાની સંસદના સ્પીકરે યુદ્ધ વચ્ચે ચેતવણી આપી છે કે, ‘ઈરાન અમેરિકાના સહયોગી દેશોને સજા આપશે. ઈરાન વળતો હુમલો કરવા માટે તૈયાર છે અને અમારી સેના તેની રાહ જોઈ રહી છે. કોઈપણ કિંમતે ઈરાન ઝૂકશે નહીં. અમારા દેશની સેના અમેરિકાના સંભિવત હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.’

વધુ મોટુ સંઘર્ષ કરવા અમેરિકા-ઈઝરાયલનું ષડયંત્ર : વિદેશ મંત્રી અરાઘચી

ઈરાની મીડિયાના રિપોર્ટ મુજબ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ગ્રીકના વિદેશમંત્રી જૉર્જોસ કો પેરાપેટ્રિટિસ સાથે ફોન પર વાતચીત કરતી કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ અન્ય દેશોને યુદ્ધમાં સામેલ કરવા માંગે છે. આ બંને દેશો ખોટા અભિયાનો ચલાવીને સંઘર્ષનો વ્યાપ વધારવાનું ષડયંત્ર કરી શકે છે. 

આ પણ વાંચો : આર્થિક સંકટમાં ફસાયો ભારતનો વિરોધી દેશ! ઈરાન યુદ્ધ વચ્ચે 15 દિવસમાં વેચ્યું 58 ટન સોનું!

US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો : ઈરાનની ધમકી

આ પહેલા ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની 'યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી' અને ઇસ્ફહાનની 'ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી' પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે. ઈરાનનો દાવો છે કે, આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : હુથીઓ કોણ છે, જેમના એક હુમલાથી પલટાઈ જશે ઈરાન-અમેરિકા યુદ્ધ, રાતા સમુદ્ર પર ખતરો