ફ્રાંસ સઉદીએ રજૂ કરેલા દ્વિ રાજ્ય સિદ્ધાંતને ભારતનો ટેકો: ન્યૂયોર્ક ડેક્લેરેશનમાં તે વણી લેવામાં આવ્યો છે

- આ કૈં થવાનું નથી, અમેરિકા ગાઝા છોડે તેમ નથી: નિરીક્ષકો
- યુએન મહાસભાએ ઐતિહાસિક ન્યૂયોર્ક ડેકલેરેશન જબ્બર બહુમતિથી પસાર કર્યું: ઇઝરાયલ, અમેરિકાએ વિરોધ કર્યો
યુ.એન : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ ઐતિહાસિક ન્યૂયોર્ક ડેકલેરેશન ૧૪૨ વિરૂદ્ધ ૧૦ મતની જબ્બર બહુમતીથી પસાર કર્યું છે. આ મતદાનમાં ૧૨ દેશો ગેરહાજર રહ્યા હતા. ફ્રાંસ અને સઉદી અરબસ્તાને આ પ્રસ્તાવ મહાસત્તામાં રજૂ કર્યો હતો. વાસ્તવમાં તે ચોથી વખત સુધારા વધારા પછી પ્રસાર કરવામાં આવ્યો હતો. તેમાં નિશ્ચિત સમયમાં પેલેસ્ટાઇનીઓ જે પ્રદેશમાં વસ્યા છે તેમને અલગ અને સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની રજૂઆત કરાઈ છે. આ ડેકલેરેશનના પાંચ મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે:
૧. ગાઝામાં તત્કાળ યુદ્ધ વિરામ કરવો સાથે તમામ અપહૃતોને હમાસે મુક્ત કરવા.
૨. હમાસનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ કરાવી ભાવિ સરકારમાંથી તેને બાકાત રાખવા.
૩. પેલેસ્ટાઇની સત્તાને સબળ કરવી સાથે ગાઝાનાં પુનનિર્માણ માટે તત્કાળ કાર્યવાહી હાથ ધરવી.
૪. તે વિસ્તારમાં નાગરિકોનાં રક્ષણ તેમ જ શાંતિ જાળવવા ટૂંક સમય પૂરતાં યુએનના તેની નીચે દળો મોકલવાં
૫. સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઇની રાજ્યની રચના કરવા અને ઇઝરાયલના આરબ દેશો સાથે સંબંધો સુધારવા.
ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ આ ડેકલેરેશનને શાંતિ માટે પાછા ન ફરી શકાય તેવો પંથ કહ્યો છે.
હવે, આ પ્રસ્તાવને આખરી રૂપ આપવા તથા સર્વગ્રાહી માનવીય સહાય તત્કાળ મોકલવા અને ગાઝા પટ્ટીમાં રચાનારી પેલેસ્ટાઇની સરકારમાંથી દૂર રાખવા વગેરે મુદ્દાઓ વિષે આગળ ચર્ચા કરવા ૨૨મી સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં અગ્રીમ દેશોની પરિષદ બોલાવવામાં આવી છે. ભારતને પણ તે પરિષદમાં સ્થાન મળવાની શક્યતા છે.
આ બધું સ્વીકારી લઇએ પરંતુ પ્રશ્ન તે છે કે અમેરિકા ગાઝા પટ્ટી છોડવા તૈયાર થશે ખરૂં ? તેની મહેચ્છા તો ગાઝા પટ્ટીમાં ભૂમિદળ અને વાયુદળનાં થાણાં નાખવાની અને બંદરો પર યુદ્ધ નૌકાઓ રાખવાની છે. ઇઝરાયલ તે સંપૂર્ણ સાથ આપશે તેમ નિરીક્ષકો કહે છે.









