World

'ભાષણબાજી બંધ કરી અરીસો જુઓ, તમે અફઘાન બાળકોના હત્યારા', UNGAમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

By GS TEAM
14 Oct 20252 mins read
TukuTouch Logo
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં ભારતે બાળ અધિકારોના ઉલ્લંઘન અને સરહદ પારના આતંકવાદ માટે પાકિસ્તાનની આકરી ટીકા કરી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, ઓપરેશન સિંદૂર હેઠળની આતંકવાદ વિરોધી કાર્યવાહીનો બચાવ કરતા, તેને નાગરિકો, ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે વૈધ અને આવશ્યક ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભાષણબાજી બંધ કરી અરીસો જુઓ, તમે અફઘાન બાળકોના હત્યારા', UNGAમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

India Slammed Pakistan on UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં ભારતે બાળ અધિકારોના ઉલ્લંઘન અને સરહદ પારના આતંકવાદ માટે પાકિસ્તાનની આકરી ટીકા કરી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, ઓપરેશન સિંદૂર હેઠળની આતંકવાદ વિરોધી કાર્યવાહીનો બચાવ કરતા, તેને નાગરિકો, ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે વૈધ અને આવશ્યક ગણાવી.

UNGAમાં દુબેએ પાકિસ્તાનની ભૂમિકા ઉજાગર કરી

ભાજપના સાંસદ દુબેએ કહ્યું કે, 'પાકિસ્તાન બાળ અને સશસ્ત્ર સંઘર્ષ (CAAC) એજન્ડાનું સૌથી ગંભીર ઉલ્લંઘન કરનાર છે. તેમણે UN મહાસચિવના 2025ના CAAC અહેવાલનો હવાલો આપીને, સરહદ પારના આતંકવાદ અને હવાઈ હુમલાઓમાં પાકિસ્તાનની ભૂમિકાને ઉજાગર કરી, જેનાથી અફઘાન બાળકોની હત્યા અને અપંગતા થઈ.

પાકિસ્તાન દ્વારા શાળાઓ અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલા

ભાજપના સાંસદે કહ્યું કે, 'આ જ અહેવાલમાં પાકિસ્તાન દ્વારા તેની સરહદોની બહાર કરાયેલા હુમલાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં શાળાઓ, ખાસ કરીને છોકરીઓની શાળાઓમાં આરોગ્ય કર્મચારીઓ પર થયેલા હુમલાઓ તેમજ અફઘાનિસ્તાનની સરહદ પરની ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાઓમાં પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબાર અને હવાઈ હુમલાઓ સીધી રીતે અફઘાન બાળકોની હત્યા અને અપંગતા માટે જવાબદાર હતા.'

ઓપરેશન સિંદૂરને સંતુલિત પ્રતિક્રિયા ગણાવી

નિશિકાંત દુબેએ જણાવ્યું કે, 'ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી શિબિરો પર હુમલા કર્યા અને ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા.'

આ પણ વાંચો: ટ્રેડ ડીલમાં ટ્રમ્પના પુત્રનું શું કામ? અમેરિકા અને ઈન્ડોનેશિયાના પ્રમુખની વાત લીક થતાં વિવાદ

તેમણે કહ્યું કે, 'એક સંતુલિત પ્રતિક્રિયા તરીકે ભારતે મે 2025માં ઓપરેશન સિંદૂર હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદ સામે પોતાના લોકોની સુરક્ષા કરવાના અને અપરાધીઓને ન્યાય અપાવવાના વૈધ અધિકારનો ઉપયોગ કર્યો.' તેનાથી વિપરીત, પાકિસ્તાને જાણી જોઈને અમારા સરહદી ગામોને નિશાન બનાવ્યા, જેના કારણે બાળકો સહિત અનેક નાગરિકોના જીવ ગયા.

દુબેએ કહ્યું કે, 'આવા કૃત્યોમાં સામેલ થયા પછી પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય મંચો પર બોલવું પાખંડ છે. પાકિસ્તાને પોતાને અરીસામાં જોવું જોઈએ, આ મંચ પર ઉપદેશ આપવાનું બંધ કરવું જોઈએ અને પોતાની સરહદોની અંદર મહિલાઓ અને બાળકોને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ.'