World

ભારતે પાકિસ્તાનના ખાસ 'મિત્ર' દેશની દુ:ખતી રગ પકડી, તુર્કીયેના દુશ્મનને ખુલ્લું સમર્થન

By GS TEAM
17 Jun 20253 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15-16 જૂનના રોજ સાયપ્રસની બે દિવસની મુલાકાત લીધી હતી, બે દાયકા બાદ ભારતીય વડાપ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હતી. આ મુલાકાત પીએમ મોદીની ત્રણ દેશોની મુલાકાતનો ભાગ હતી, જેમાં કેનેડા (G7 સમિટ માટે) અને ક્રોએશિયાનો પણ સમાવેશ થાય છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે. ઇઝરાયલ, ઈરાન અને કેટલાક સમય માટે લેબનોનનું હવાઈ ક્ષેત્ર બંધ હતું, જેના કારણે પીએમ મોદીનું વિમાન અરબી સમુદ્ર, સોમાલિયા, ઇથોપિયા, એરિટ્રિયા અને ઇજિપ્ત થઈને સાયપ્રસ પહોંચ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે પાકિસ્તાનના ખાસ 'મિત્ર' દેશની દુ:ખતી રગ પકડી, તુર્કીયેના દુશ્મનને ખુલ્લું સમર્થન

India gave full Support to Cyprus: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15-16 જૂનના રોજ સાયપ્રસની બે દિવસની મુલાકાત લીધી હતી, બે દાયકા બાદ ભારતીય વડાપ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હતી. આ મુલાકાત પીએમ મોદીની ત્રણ દેશોની મુલાકાતનો ભાગ હતી, જેમાં કેનેડા (G7 સમિટ માટે) અને ક્રોએશિયાનો પણ સમાવેશ થાય છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે. ઇઝરાયલ, ઈરાન અને કેટલાક સમય માટે લેબનોનનું હવાઈ ક્ષેત્ર બંધ હતું, જેના કારણે પીએમ મોદીનું વિમાન અરબી સમુદ્ર, સોમાલિયા, ઇથોપિયા, એરિટ્રિયા અને ઇજિપ્ત થઈને સાયપ્રસ પહોંચ્યું હતું.

પીએમ મોદીની સાયપ્રસ મુલાકાત 

વડાપ્રધાન મોદીએ સોમવારે સાયપ્રસની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચર્ચા કરી હતી અને બંનેનું માનવું છે કે 'આ યુદ્ધનો યુગ નથી.' તેમજ આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ક્રિસ્ટોડોલાઇડ્સે તુર્કીયેના નિયંત્રણ હેઠળના પર્વતો પણ જોયા. તાજેતરમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન તુર્કીયેએ ખુલ્લેઆમ ઇસ્લામાબાદને સમર્થન આપ્યું હતું. હવે એવામાં પીએમ મોદીની સાયપ્રસ મુલાકાતથી તુર્કીયેને પણ સંદેશ મળી ગયો હશે. 

દ્વિપક્ષીય મુલાકાતમાં આ વિષય પર થઈ ચર્ચા 

ક્રિસ્ટોડોલાઇડ્સ સાથે દ્વિપક્ષીય મુલાકાતમાં પીએમ મોદીએ સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટૅક્નોલૉજી, આરોગ્યસંભાળ, નવીનીકરણીય ઉર્જા અને આબોહવા જેવા ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયા અને યુરોપમાં સંઘર્ષો સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.


ભારતે સાયપ્રસનો આભાર માન્યો

ક્રિસ્ટોડોલાઇડ્સ સાથેની તેમની વાતચીત પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, વડાપ્રધાન મોદીએ કહ્યું, 'સીમાપાર આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સમર્થન બદલ અમે આભારી છીએ.'

વાતચીત પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાયપ્રસ અને ભારત આંતરરાષ્ટ્રીય અને સરહદપાર આતંકવાદ તેમજ હિંસક ઉગ્રવાદની સ્પષ્ટપણે નિંદા કરે છે અને શાંતિ અને સ્થિરતાને નબળી પાડતા હાઇબ્રિડ જોખમોનો સામનો કરવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી

કોઈપણ દેશનું નામ લીધા વિના, પીએમ મોદીએ કહ્યું, 'અમે બંનેએ પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી. તેમની નકારાત્મક અસર ફક્ત તે પ્રદેશો સુધી મર્યાદિત નથી. અમે બંને માનીએ છીએ કે આ યુદ્ધનો યુગ નથી. ઉકેલો શોધવા અને વાતચીત દ્વારા સ્થિરતા પુનઃસ્થાપિત કરવી એ માનવતાની માંગ છે.'

આ પણ વાંચો: રશિયાએ ફરી કીવ પર કરી ભયાવહ એરસ્ટ્રાઈક, 14ના મોત, 44થી વધુ ઘાયલ

તુર્કીયેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો

રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલાઇડ્સે કહ્યું કે, 'બંને પક્ષોએ સાયપ્રસ મુદ્દા પર પણ ચર્ચા કરી અને કહ્યું કે સાયપ્રસ વિવાદિત ઉત્તરીય પ્રદેશ પર તુર્કીયેના ગેરકાયદેસર કબજાનો અંત લાવવા માંગે છે. અમે સાયપ્રસ પ્રજાસત્તાક વતી ભારત અને તેના લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.' 

સાયપ્રસ અને પડોશી તુર્કીયે વચ્ચેના સંબંધો ખરાબ રહ્યા છે 

સાયપ્રસમાં યુએન પીસકીપિંગ ફોર્સની વેબસાઇટ અનુસાર, તુર્કીયે સરકારે 1960ની ગેરંટી સંધિનો ઉલ્લેખ કરીને સાયપ્રસના ઉત્તરી કિનારા પર એક વિશાળ લશ્કરી કાર્યવાહી શરુ કરી, જેના પરિણામે નિકોસિયાની ઉત્તરે મુખ્ય તુર્કીયે સાયપ્રસ એન્ક્લેવ પર કબજો કરવામાં આવ્યો. ત્યારથી બંને દેશો વચ્ચે સંબંધ સારા નથી. 

પોતાના પ્રેસ નિવેદનમાં, પીએમ મોદીએ કહ્યું કે, 'આ મુલાકાત ભારત-સાયપ્રસ દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય લખવાની 'સુવર્ણ તક' છે. સાયપ્રસના 'વિઝન 2035' અને વિકસિત ભારત 2047ના વિઝનમાં ઘણી સમાનતાઓ છે.'