પાકિસ્તાન પહેલા 15 ઓગસ્ટના રોજ મનાવતું હતું સ્વતંત્રતા દિવસ, જાણો શા માટે તારીખ બદલી
બે વર્ષ સુધી પાકિસ્તાન 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો
14 ઓગસ્ટ 1947ના રોજ રમજાનનો 27 મો એટલે કે શબ-એ-કદર હતો
Image Twitter |
તા. 12 ઓગસ્ટ 2023, શુક્રવાર
ભારત અને પાકિસ્તાનને આઝાદી એક સાથે મળી હતી. આઝાદી પછી પાકિસ્તાને બે વર્ષ સુધી 15 ઓગસ્ટના રોજ જ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો. પરંતુ તેના પછી 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવતા હતા. જાણો તેની પાછળનું શુ કારણ છે.
બન્ને દેશો એક જ દિવસે આઝાદ થયા હતા
ભારત દર વર્ષે 15 ઓગસ્ટના રોજ આપણો સ્વતંત્રતા દિવસ મનાવે છે. તો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન દર વર્ષે એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવે છે. જો કે બન્ને દેશો એક જ દિવસે આઝાદ થયા હતા. અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યુ તે પછી ભારતને આઝાદી મળી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે પાકિસ્તાન પહેલા ભારતની જેમ 15 ઓગસ્ટના રોજ જ સ્વતંત્રતા દિવસ મનાવતો હતો. પરંતુ આખરે આવુ કેમ પાકિસ્તાન સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટની જગ્યાએ 14 ઓગસ્ટના રોજ મનાવે છે.
ભાગલા પછીના બે વર્ષ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ મનાવવામાં આવતો હતો
ભારતને આઝાદી મળ્યા પછી ભાગલા પડ્યા હતા તેમાં બે વર્ષ સુધી પાકિસ્તાન 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો. પરંતુ જીન્નાના મોત બાદ હવે પાકિસ્તાનમાં 14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. જીન્નાએ પાકિસ્તાનની પહેલો સ્વતંત્રતા દિવસના સંબોધન પર પાકિસ્તાનીઓના નામ પર તેમના સંબોધનમાં કહ્યુ હતું કે 15 ઓગસ્ટ સ્વતંત્ર અને સંપ્રભુ દેશ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે. તેમનુ આ સંબોધન પાકિસ્તાનના સંસ્થાપક અને દેશના પહેલા ગવર્નર જનરલના નાતે હતું.
14 ઓગસ્ટ 1947 ના રોજ રમજાનનો 27મો દિવસ
પાકિસ્તાનને 14 ઓગસ્ટના રોજથી જ એક અલગ રાષ્ટ્ર તરીકે મંજુરી મળી ગઈ હતી. તો 14 ઓગસ્ટ 1947ના રોજ રમજાનનો 27 મો એટલે કે શબ-એ-કદર હતો. ઈસ્લામિક માન્યતા પ્રમાણે તેમના ધાર્મિક ગ્રંથ કુરાનમાં આ રાત્રે ઉતારવામાં આવી હતી. અને ઈસ્લામિક કેલેન્ડર પ્રમાણે આ દિવસને ઘણો પવિત્ર માનવામાં આવે છે. તેના કારણે પાકિસ્તાનીઓ 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવે છે.