ભારતીયોને નફરત કરતો આ ખુંખાર માણસ, દુનિયાની નજરમાં હતો આદમખોર
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
વિશ્વમાં ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં ભારતીય લોકો રહેતા ન હોય. આવો જ એક દેશ યુગાન્ડા છે જ્યાં એક સમયે લાખો ભારતીયો રહેતા હતા. પરંતુ એક સનકી અને ખૂંખાર તાનાશાહના કારણે ભારતીયોને યુગાન્ડા છોડવું પડ્યું અન્ય શબ્દોમાં કહીએ તો દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા. આ તાનાશાહ વિશે અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે જેમકે તે માણસનું લોહી પીતો, માણસનું માસ ખાતો વગેરે વગેરે...
આ તાનાશાહ હતો ઇદી અમીન. તેને માનવતાનો દુશ્મન, રાક્ષસ અને અનેક નામોથી બોલાવવામાં આવતો. તેને આઠ વર્ષની સરમુખત્યારશાહીમાં યુગાન્ડામાં લાખો લોકોની હત્યા કરાવી હતી. એટલું જ નહીં તેમણે પોતાની સરમુખત્યારશાહી દરમિયાન ભારતીય મૂળના 90 હજાર લોકોને હાંકી કાઢ્યા હતા. એવું કહેવામાં આવે છે કે તે ભારતીયોને ધિક્કારતો હતો.
એવું કહેવામાં આવે છે કે ઇદી અમીન સત્તા પર આવ્યા પહેલા યુગાંડામાં એશિયન વંશના લોકોનું વર્ચસ્વ હતું. અહીં મોટાભાગના થિયેટરમાં હિન્દી ફિલ્મો ચાલતી હતી. 70 ના દાયકામાં યુગાન્ડાની રાજધાની કંપાલામાં મોટાભાગના વ્યવસાયી પણ એશિયન વંશના લોકો હતા. ત્યાંની શેરીઓ પણ એશિયન મૂળના લોકોના નામ પર હતી.
1971માં ઇદી અમીને ત્યાંની સત્તા ઉથલાવી ત્યાર પછીથી યુગાન્ડાની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ઇદી અમીને સૈન્યની મદદથી સમગ્ર દેશને કબજે કર્યો. એક દિવસ અચાનક ઇદી અમીને ભારતીયો સહિત એશિયન મૂળના તમામ લોકોને દેશ છોડવાનો આદેશ આપ્યો. તેમણે દલીલ કરી હતી કે અલ્લાહે તેમને તમામ એશિયનોને તરત જ તેના દેશમાંથી હાંકી કાઢવાનું કહ્યું હતું.
ઇદિ અમીનના શાસનકાળ દરમિયાન આરોગ્ય પ્રધાન રહી ચૂકેલી હેનરી કેયેંબાએ એક બુક લખી હતી જેનું નામ 'એ સ્ટેટ ઓફ બ્લડ: ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ ઈદિ અમીન' આપવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં તેમણે અમીનની યાતનાઓનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે એકવાર અમીન હોસ્પિટલના મોર્ગમાં ગયો હતો. જ્યાં તેના દુશ્મનોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા. યુગાન્ડાના લોકો માને છે કે તેણે તેના દુશ્મનનું લોહી પીધું હતું.
તેના વિશેના પુસ્તકમાં લખાયું છે કે, 'ઘણી વખત રાષ્ટ્રપતિ અને અન્યોની સામે અમીને વાત પણ કરી હતી કે તેણે માનવ માંસ ખાધું છે. ઇદી અમીન બહુપત્નીત્વમાં વિશ્વાસ કર્યો હતો અને તેણે છ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા અને તેને 30 થી 45 બાળકો હતા.