ભારે ખતરાની ભીતિ : ઇરાનનાં પરમાણુ સંસ્થાનો નીચે ધરતી હલી ઊઠી, ભૂકંપથી ભારે હડકંપ મચ્યો
- આ સાથે પરમાણુ શસ્ત્રનાં ભૂગર્ભ ટેસ્ટિંગથી ધરતી હલી હોય તેવું પણ અનુમાન થયું : સીસ્મોલોજિસ્ટ કહે છે તે શક્ય જ નથી
નવી દિલ્હી : શુક્રવારે ઇરાનનાં પરમાણુ સંસ્થાનો આસપાસ ૫.૧ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો તે સાથે ભૂગર્ભમાં પરમાણુ શસ્ત્રના ટેસ્ટિંગની પણ ચર્ચા શરૂ થઈ હતી. જોકે સેસ્મોલોજિસ્ટનું સ્પષ્ટ કહેવું છે કે એકાદ એટમ બોંબ ધરતીમાં નીચે ફૂટે તો તેથી ધરતીકંપ થઈ જ ન શકે. વાસ્તવમાં ધરતીકંપમાં તો લાખ્ખો એટમ બોંબની તાકાત હોય છે.
તસનીમ ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે તે ભૂકંપનું કેન્દ્ર એમનાનથી ૨૭ કિ.મી. દૂર હતું. તેની ઊંડાઈ આશરે ૧૦ કિ.મી. જેટલી હતી.
આશ્ચર્ય તો તે છે કે, ઘણા આ ભૂકંપ ઇઝરાયલી હુમલા પછી તુર્ત જ થયો હોવાથી તેને ઘણા રહસ્યમય માને છે.
કેટલાક આ ભૂકંપને ભલે ભૂગર્ભ વિસ્ફોટના કારણરૂપ કહે કે કોઈ સૈન્ય ગતિવિધિ કહે પરંતુ તેવું અનુમાન જ હાસ્યાસ્પદ છે.
અન્ય વાસ્તવિકતા તે છે કે ઇરાન ટેકટોનિક પ્લેટસનાં એવા સ્થાને છે કે ત્યાં ધરતીકંપો થાય તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. તેવામાં ઇઝરાયલે ઇરાનના ફોર્ડો અને નતાંજ જેવા પરમાણુ સંસ્થાનો પર પ્રચંડ હુમલા કરવા કોશીશ કરી રહ્યું છે. તેવામાં આ ભૂકંપ રહસ્યમય બની રહ્યો છે તેમ ઘણા માને છે તે ખોટું છે.
વાસ્તવમાં ઇરાન આલ્પાઇન હિમાલયન સેસ્મીક બેલ્ટ પર આવેલું છે. તેથી તે વિશ્વના ભૂકંપ સક્રિય ક્ષેત્રો પૈકીનું એક છે. ત્યાં નાના-નાના ૨૧૦૦ જેટલા ભૂકંપ દર વર્ષે આવે છે. તે પૈકી ૧૫ થી ૧૬ની તીવ્રતા રીકટર સ્કેલ ઉપર ૫થી વધુ હોય છે. ૨૦૦૬ થી ૨૦૧૫ વચ્ચે ઇરાનમાં ૯૬૦૦૦ વાર ધરતી ધૂ્રજી હતી.
બની શકે કે, એટમ બોંબના ટેસ્ટથી ટેકટોનિક સ્ટ્રેસ વધે અને તેટલા વિસ્તારમાં ભૂકંપ જેવું લાગે તેથી તેવા ભૂકંપને સામાન્ય ભૂકંપથી સેસ્મોલોજિસ્ટ જુદા તારવે છે.
શુક્રવારે થયેલો ભુકંપ સેસ્મીક ડેટા પ્રમાણે કુદરતી ભૂકંપ જ હતો.