ફિન્લેન્ડ હવે તેની નવી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે : ટેક્ષાસનાં હાઉસ્ટનમાં તે ઉપદૂતાવાસ ખોલશે
ફિન્લેન્ડનાં વિદેશમંત્રી એલિના વાલ્તોનેને જણાવ્યું હતું કે વ્યૂહાત્મક કારણોસર આ દૂતાવાસો બંધ કરવામાં આવશે, ઉપરાંત અમેરિકાનાં ટેક્ષાસ સ્થિત હાઉસ્ટનમાં એક ઉપદૂતાવાસ ખોલવામાં આવશે.
આ માહિતી આપતાં ફીન્લેન્ડનાં વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે કે વ્યૂહાત્મક કારણોસર ઉક્ત ત્રણે દેશોમાં દૂતાવાસો બંધ કરવા ઉપરાંત અમેરિકા સાથે સંબંધો મજબૂત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાન માટે વધુ એક માઠા સમાચાર તે છે કે યુનાઇટેડ આરબ અમીરાતે પાકિસ્તાનના નાગરિકોને વિસા આપવાનું બંધ કર્યું છે. યુ.એ.ઇ.ના એડીશનલ ઇન્સ્ટીટયૂટ સેક્રેટરી સલમાન ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે પહેલાં ઇસ્લામાબાદ આ પ્રતિબંધોમાંથી બચી શક્યું હતું પરંતુ હવે બચી નહીં શકે. સેનેટની હ્યુમન રાઈટ્સ કમિટીનાં ચેરપર્સન સામીના મુમતાઝ ઝેહરીએ પણ કહ્યું હતું કે તે દેશોમાં માનવ અધિકારોનાં થતાં હનન તેમજ ત્યાંથી ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને લક્ષ્યમાં રાખી અમે (યુએઇએ) આ નિર્ણય લીધો છે.


