World

'મારે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં, ગાઝામાં શાંતિ જોઈએ, નહિતર...', ટ્રમ્પનું મોટું નિવેદન

By GS TEAM
30 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર નિવેદન આપીને ફરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, 'તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર નથી ઈચ્છતા, પરંતુ તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર નથી ઈચ્છતા, પરંતુ તેમનો ઉદ્દેશ્ય ગાઝા સંઘર્ષને ખતમ કરીને કાયમી શાંતિ લાવવાનો છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

'મારે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં, ગાઝામાં શાંતિ જોઈએ, નહિતર...', ટ્રમ્પનું મોટું નિવેદન

Donald Trump Big Statement: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર નિવેદન આપીને ફરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, 'તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર નથી ઈચ્છતા, પરંતુ તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર નથી ઈચ્છતા, પરંતુ તેમનો ઉદ્દેશ્ય ગાઝા સંઘર્ષને ખતમ કરીને કાયમી શાંતિ લાવવાનો છે. ગાઝા સંઘર્ષને લઈને તેનો સીઝફાયર પ્રસ્તાવ લગભગ નક્કી છે અને તમામ અરેબિયા અને મુસ્લિમ દેશ તેમાં સામેલ થઈ ચૂક્યા છે. આપણે આખા મધ્ય પૂર્વને સાઈન કરાવી લીધું છે, આ અસંભવ કામ હતું, પરંતુ થઈ ગયું. હવે બસ હમાસની રાહ છે. જો તેમણે કરાર પર હસ્તાક્ષર ન કર્યા તો તેમને ખૂબ ખરાબ પરિણામ ભોગવવું પડશે.'

'હમાસ કરાર ઠુકરાવશે તો ઈઝરાયલને છૂટ આપી દઈશ'

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હમાસને ત્રણ-ચાર દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ ના પાડશે, તો તેઓ ઈઝરાયલને જે કરવું હોય તે કરવાની ખુલ્લી છૂટ આપી દેશે.

ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે, 'જો હમાસે ડીલ ન માની તો તેઓ નર્કમાં પણ કિંમત ચૂકવશે. અમે 25 હજારથી વધુ હમાસ આતંકવાદીઓને ઠાર માર્યા છે અને તેની લીડરશિપને ત્રણ વખત ખતમ કરી દીધી છે. હવે તેઓ જો શાંતિ ઈચ્છે છે તો સારું છે, નહીતર પરિસ્થિતિ વધુ ખરાબ થશે.'

રશિયાને લઈને ટ્રમ્પે ખુલાસો કર્યો કે, હાલમાં જ્યારે માસ્કોએ અમેરિકાને ધમકી આપી તો તેમણે એક-બે પરમાણુ પનડુબ્બિયો રશિયાન કિનારે મોકલી દીધી, જે હવે ત્યાં તૈનાત છે.

આ સિવાય ટ્રમ્પે વેનેજુએલાના ડ્રગ કાર્ટેલ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે, તેમની સરકાર નશીલા પદાર્થોની તસ્કરી કરવાની ગેંગ પર જમીની અને પાણી બંને રસ્તાઓથી કાર્યવાહી કરશે.

ટ્રમ્પે કહ્યું કે, જો ગાઝા કરાર સફળ થાય છે તો આ મધ્યપૂર્વમાં શાંતિની દિશામાં સૌથી મોટું પગલું હશે. આ ઈતિહાસનું સૌથી મોટી ક્ષણ હોય શકે છે. જો શાંતિ આવે છે તો અમારી સૌથી મોટી ઉપલબ્ધિ હશે.

ક્વાંટિકોમાં સૈન્ય નેતાઓને સંબોધિત કરતા ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે, 'તેમણે પરમાણુ શક્તિથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ મોટો સંઘર્ષ ટળી દીધો. મારે અહીં આવ્યે લગભગ 9 મહિના થઈ ગયા છે, અને મેં સાત યુદ્ધોને રોક્યા છે. ભારત-પાકિસ્તાનનો વિવાદ ખૂબ મોટો હતો, પરંતુ મેં તેને ઉકેલ્યો.' જો કે ભારત આ દાવાને સતત ફગાવી રહ્યું છે.