World

સાયબર હુમલાથી સતત બીજા દિવસે યુરોપના એરપોર્ટ પાંગળા, હજારો પ્રવાસી અટવાયા

By GS TEAM
22 Sep 20252 mins read
સાયબર હુમલાથી સતત બીજા દિવસે યુરોપના એરપોર્ટ પાંગળા, હજારો પ્રવાસી અટવાયા

યુરોપના વિમાન પ્રવાસની વિશ્વસનીયતા જોખમાઈ

બ્રસેલ્સને ફટકો, 75 ફ્લાઇટ રદ, ડિજિટલ અરાજકતા વચ્ચે એરલાઈન્સ ફરી પેન, પેપરના આશ્રયે

બ્રસેલ્સ: કોલિન્સ એરોસ્પેસ સિસ્ટમ્સ પર થયેલા મોટા સાયબર હુમલાને કારણે યુરોપના મુખ્ય એરપોર્ટ્સ સતત બીજા દિવસે પણ વ્યાપક વિક્ષેપનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે મોડી રાતથી બ્રસેલ્સ, લંડન અને બલનના એરપોર્ટ્સે તેમની ઈલેક્ટ્રોનિક ચેક-ઈન સિસ્ટમમાં ગંભીર ખામીનો સામનો કરવો પડયો, જેના કારણે સ્ટાફને હાથથી બનાવેલા બોડગ પાસ અને બેકઅપ લેપટોપ સહિત મેન્યુઅલ કામગીરી પર પાછા ફરવાની ફરજ પડી. જ્યારે ઘણા અન્ય યુરોપિયન એરપોર્ટ્સ પર ખાસ અસર નહોતી પડી પણ લક્ષ્યાંક કરાયેલા હબ પર મુસાફરોને નોંધપાત્ર વિલંબ અને ફ્લાઈટો રદ થવાનો અનુભવ થયો.

આ સાયબર હુમલામાં ખાસ કરીને પેસેન્જર ચેક-ઈન, બોડગ પાસ, બેગ ટેગ અને સામાન ડિસ્પેચનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. આરટીએક્સ કોર્પ.ની યુએસ સ્થિત પેટાકંપની કોલિન્સ એરોસ્પેસે 'સાયબર-સંબંધિત વિક્ષેપ'ની પુષ્ટિ કરી હતી પરંતુ સ્રોતનો ઉલ્લેખ નથી કર્યો. નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે સંભવિત ગુનેગારો હેકર્સ અને ગુનાહિત નેટવર્કથી લઈને રાજ્ય-પ્રાયોજિત ગુનેગારો હોઈ શકે છે.

રવિવાર સુધીમાં, લંડનના હીથ્રો અને બલનના બ્રાન્ડેનબર્ગ એરપોર્ટ પર રિકવરીના સંકેતો દેખાઈ રહ્યા હતા, છતાં બ્રસેલ્સ પર ભારે અસર પડી હતી. એરપોર્ટ પ્રવક્તા ઈહસાને ચિઉઆ લેખલીએ અહેવાલ આપ્યો હતો કે રવિવારે બ્રસેલ્સમાં ૪૫ આઉટબાઉન્ડ અને ૩૦ ઈનબાઉન્ડ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જે આગલા દિવસ કરતા બમણાથી વધુ હતી. વિક્ષેપો માનવ ચેક-ઈન ડેસ્ક સુધી મર્યાદિત હતા; સ્વ-સેવા કિઓસ્ક કાર્યરત રહ્યા, જેનાથી દબાણ થોડું ઓછુ થયું.

સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો છતાં, અધિકારીઓએ સ્વીકાર્યું કે તેમની પાસે ઉકેલ માટે કોઈ સ્પષ્ટ સમયરેખા નથી, મુસાફરોને પહોંચતા પહેલા ફ્લાઇટની સ્થિતિ તપાસવાની અને શક્ય હોય ત્યાં ઓનલાઇન અથવા સ્વ-સેવા વિકલ્પો પર આધાર રાખવાની સલાહ આપી. 

હીથ્રોએ ખાતરી આપી હતી કે મોટાભાગની ફ્લાઇટ્સ હજુ પણ કાર્યરત છે, જ્યારે બ્રાન્ડેનબર્ગ એરપોર્ટે મુસાફરોને હજી વધુ વિલંબની સંભાવના વિશે ચેતવ્યા હતા.

કોલિન્સ એરોસ્પેસે તે સમસ્યાને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યું હોવાનું જણાવતા તાકીદ કરી હતી કે  મેન્યુઅલ કામગીરી અસરને ઘટાડી શકે છે. જો કે, આ ઘટનાથી સાયબર જોખમો માટે ઉડ્ડયન માળખાની નબળાઈ છતી થઈ જેના કારણે હજારો મુસાફરો ફસાયા અને આગામી દિવસોમાં યુરોપની હવાઈ મુસાફરીની વિશ્વસનીયતા પર અનિશ્ચિતતા ઊભી થઈ.