Get The App

ચીનના રાજદૂતને શરણે ગયા વડાપ્રધાન શહબાઝ શરીફ, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ પર કરી ચર્ચા

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
ચીનના રાજદૂતને શરણે ગયા વડાપ્રધાન શહબાઝ શરીફ, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ પર કરી ચર્ચા 1 - image


Pakistan - China: પાકિસ્તાનમાં ચીનના રાજદૂત જિયાંગ જૈડોંગે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી અને ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચર્ચા કરી. ત્યારે ચીને આ મુલાકાત બાદ કહ્યું કે, તેઓ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાની અપીલ કરે છે. ચીનના દૂતાવાસના અનુસાર, જિયાંગે શરીફ સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે, ચીન પાકિસ્તાનની સુરક્ષા ચિંતાઓને સમજે છે અને તેની રાષ્ટ્રીય સંપ્રભુતા અને સુરક્ષા હિતોની રક્ષાના પ્રયાસોનું સમર્થન કરે છે. તેમણે ભારત અને પાકિસ્તાન બંનેને સંયમ રાખવા અને શાંતિ-સ્થિરતા માટે મતભેદોને વાતચીતથી ઉકેલવાનો આગ્રહ કર્યો.

શહબાઝ શરીફે ચીનના વલણની પ્રશંસા કરી

વડાપ્રધાન શહબાઝ શરીફે ચીનના વલણના વખાણ કર્યા અને કહ્યું કે, પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ માટે તમામ પક્ષો સાથે વાતચીત અને સહયોગ માટે તૈયાર છે, જેથી તણાવ હજુ ન વધે. શરીફે ચીનના રચનાત્મક પ્રયાસોના પણ વખાણ કર્યા જે ક્ષેત્રની સ્થિરતા લાવવામાં મદદ કરી રહ્યા છે. આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાં વધુ પડતા પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, ચીને આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.

Tags :