બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, એ જ દેશમાં તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી
Mob vandalises Rabindranath Tagore's home in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો પર સતત થઈ રહેલા હુમલાઓની હવે નોબેલ પુરસ્કાર વિજેતા તેમજ બાંગ્લાદેશના રાષ્ટ્રગાનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર સુધી પણ પહોંચી ગયા છે. બાંગ્લાદેશના સિરાજગંજ જિલ્લામાં ટાગોરના ઐતિહાસિક ઘર 'રવીન્દ્ર કચરીબારી' પર ટોળાએ હુમલો કરીને તોડફોડ કરી હતી. આ ઘર હવે રવીન્દ્ર મેમોરિયલ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.
પાર્કિંગને લઈને શરૂ થયો વિવાદ
બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વ્યક્તિ તેના પરિવાર સાથે મ્યુઝિયમની મુલાકાત લેવા આવ્યો હતો. મોટરસાયકલ પાર્કિંગ ચાર્જને લઈને તેના અને મ્યુઝિયમના કર્મચારી વચ્ચે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે જ્યારે વિવાદ વધ્યો ત્યારે મ્યુઝિયમના કર્મચારીઓએ તે વ્યક્તિને ઓફિસ રૂમમાં બંધ કરીને માર માર્યો હતો. આના પર સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા. મંગળવારે આના વિરોધમાં લોકોને એકઠા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં આ લોકોનું ટોળું અચાનક કોઈ વાત પર ગુસ્સે થઈ ગયુ અને મ્યુઝિયમ પરિસરમાં ઘૂસી ગયુ. ટોળાએ રવીન્દ્ર સ્મારક સંગ્રહાલયના ઓડિટોરિયમને તોડી નાખ્યું અને સંસ્થાના ડિરેક્ટરને માર મારવામાં આવ્યો.
Horrible: Nobel laureate Rabindranath Tagore's ancestral home vandalised by a mob in #Bangladesh under the governance of Mohammad Yunus. Mobsters raised slogans against Tagore and proceeded to break windows, furniture of the ancestral Kutchery House in Sirajganj’s Shahjadpur. pic.twitter.com/tdOGiUWXXj
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 11, 2025
પુરાતત્વ વિભાગે તપાસનો આદેશ આપ્યો
આ હુમલા પછી, બાંગ્લાદેશ સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમિતિ હુમલા પાછળના કારણોની તપાસ કરશે. સમિતિના સભ્યોને 5 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રવીન્દ્ર સ્મારક સંગ્રહાલય કસ્ટોડિયન મોહમ્મદ હબીબુર રહેમાને મીડિયાને જણાવ્યું હતું કે, 'મ્યુઝિયમ હાલ માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. સમગ્ર સંકુલ સત્તાવાર દેખરેખ હેઠળ છે.'
રવીન્દ્ર સ્મારક સંગ્રહાલયમાં રવિન્દ્રનાથની સંગીત અને સાહિત્ય કળાનો વિકાસ
રાજશાહી વિભાગના શાહજહાંપુરમાં સ્થિત રવીન્દ્ર સ્મારક સંગ્રહાલય, ટાગોર પરિવારનું પૂર્વજોનું ઘર છે. રવીન્દ્ર સ્મારક સંગ્રહાલયની આ હવેલીમાં જ રવિન્દ્રનાથ ટાગોરની સાહિત્યિક ભાવનાનો ઉદય થયો હતો.
ટાગોરે તેમના જીવનનો એક મહત્ત્વપૂર્ણ સમય અહીં વિતાવ્યો. ટાગોર પરિવારની રવીન્દ્ર સ્મારક સંગ્રહાલયમાં જમીનદારી હતી અને 1890ના દાયકામાં અહીં રહેતા રવિન્દ્રનાથે તેમના પિતાની જમીનદારીનું સંચાલન કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે ગ્રામીણ જીવન, પ્રકૃતિ અને સામાજિક મુદ્દાઓમાંથી ઊંડી પ્રેરણા મેળવી, જેનો પ્રભાવ તેમના કાર્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ પણ વાંચો: આતંકને ઉછેરનારા પાકિસ્તાનના અમેરિકાના ટોપ જનરલે કર્યા ભરપેટ વખાણ, શાનદાર પાર્ટનર ગણાવ્યો
આ સમયગાળા દરમિયાન, તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને ગીતો લખ્યા. રવીન્દ્ર સ્મારક સંગ્રહાલય ખાતેના તેમના સમયએ તેમની કૃતિઓમાં ગ્રામીણ બંગાળની સંસ્કૃતિ, નદીઓ અને સામાજિક જીવનનું ચિત્રણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટાગોરે રવીન્દ્ર સ્મારક સંગ્રહાલય, ખાસ કરીને પદ્મ નદીમાં પ્રકૃતિની સુંદરતાથી પ્રેરિત ઘણી કવિતાઓ લખી. તેમણે અહીં સતત સંગીતનો અભ્યાસ કર્યો, જે પાછળથી રવીન્દ્ર સંગીતનો ભાગ બન્યો.