Get The App

એશિયાનો સૌથી મોટો માંસાહારી છોડ, તેના તરલ પદાર્થથી ઘા સાફ કરી શકાય છે

વિશ્વમાં એક કે બે નહી વનસ્પતિની ૭૦૦ જેટલી પ્રજાતિઓ માંસાહારી છે

માંસાહારી પ્લાન્ટ શિકારને પકડે છે અને મારીને પોષણ મેળવે છે

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
એશિયાનો સૌથી મોટો માંસાહારી છોડ, તેના તરલ પદાર્થથી ઘા સાફ કરી શકાય છે 1 - image


ન્યૂયોર્ક,૧૧ જૂન,૨૦૨૫,બુધવાર 

વનસ્પતિ આમ તો જમીનમાં મૂળિયા નાખીને રસકસ ચુસીને વિકાસ પાંમે છે પરંતુ દુનિયામાં એવી પણ વનસ્પતિની પ્રજાતિઓ છે જે માંસાહારી છે જે કિટકો સહિતના નાના જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.આમ તો આ કોઇ વિજ્ઞાાન નવલકથા જેવું લાગે પરંતુ માંસાહારી વનસ્પતિ એક હકિકત છે. દુનિયામાં એક કે બે નહી વનસ્પતિની ૭૦૦ જેટલી પ્રજાતિઓ માંસાહારી છે.આમ તો વનસ્પતિ પોતાના વિકાસ માટે માત્ર શિકાર પર જ નિર્ભર નથી પરંતુ તે શિકાર દ્વારા મેળવેલા પોષતત્વોનો ઉપયોગ પોતાની ઝડપથી વૃધ્ધિ અને વિકાસ માટે કરે છે.

એશિયાના સૌથી મોટા  માંસાહારી છોડ નેપેથેસનો તરલ પદાર્થથી ઘા સાફ કરી શકાય છે અસહનિય દર્દમાં તેનો ઉપયોગ થાય છે. નવાઇની વાત તો એ છે કે ૭ મે ના રોજ વિશ્વ માંસાહારી વનસ્પતિ દિવસ પણ ઉજવાય છે. આ અનોખી વનસ્પતિઓ અંગે લોકોમાં જાગૃતિ અને જાણકારી વધે તેવો ઉજવણીનો ઉદ્દેશ રહેલો છે. આંતરરાષ્ટ્રીય માંસાહારી પ્લાન્ટ સોસાયટી (આઇસીપીએસ)ના જણાવ્યા અનુસાર માંસાહારી પ્લાન્ટ શિકારને પકડે છે અને મારી નાખે છે. શિકારના અવશેષોને પચાવવા માટે તેની પાસે એક વિશેષ પ્રકારનું તંત્ર હોય છે જે શિકારથી પ્રાપ્ત પોષકતત્વોને પોતાના વિકાસમાં ઉપયોગમાં લઇ શકે છે.

આ પ્રકારની વનસ્પતિ કિડા,મકોડા,મકોડીઓ,ક્રસ્ટેશિયન અને અન્ય નાના માટી અને પાણીમાં રહેતા અકશેરુકી અને પ્રોટોજોઆ,ગરોળી,ઉંદર અને અન્ય નાન કશેરુકી જેવી જીવો ખાય છે.માંસાહારી વનસ્પતિઓ ખાસ પ્રકારના પાનનો ઉપયોગ કરીને શિકારને અંજામ આપે છે જે જાળનું કામ કરે છે. પાન ચમકીલા રંગો, રસ ભરેલા ફૂલો વડે શિકારને લલચાવે છે. એક વાર શિકાર પકડાયા પછી શિકારને સાથી જીવો દ્વારા પચાવવામાં આવે છે ત્યાર પછી શબના ઉપલબ્ધ પોષકતત્વોને અવશોષિત કરે છે. 

Tags :