Get The App

સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય શખ્સને પોતાના ઘરે સ્વસ્તિક ચિહ્ન લગાવવા બદલ જવુ પડ્યુ જેલમાં, જાણો સમગ્ર મામલો

Updated: May 20th, 2023

GS TEAM

Google News
Google News
સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય શખ્સને પોતાના ઘરે સ્વસ્તિક ચિહ્ન લગાવવા બદલ જવુ પડ્યુ જેલમાં, જાણો સમગ્ર મામલો 1 - image


                                                    Image Source: Freepik

રિયાધ, તા. 20 મે 2023 શનિવાર

આંધ્ર પ્રદેશના એક 45 વર્ષીય વ્યક્તિને પોતાના ફ્લેટના દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન લગાવવા બદલ સાઉદી અરેબિયાની જેલમાં પૂરી દેવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર કેમિકલ એન્જિનિયર વિરુદ્ધ એક સ્થાનિક અરબ વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેણે આ ચિહ્નનો અર્થ ખોટો સમજ્યો. સૂત્રો અનુસાર સાઉદી અરેબિયાના શખ્સે પોતાની ફરિયાદમાં કહ્યુ કે તેને ગુંટૂરના વ્યક્તિથી જીવનું જોખમ છે. જોકે તેલુગુ એન્જિનિયર સાઉદી અરેબિયામાં એક વર્ષ કરતા વધુ સમયથી કામ કરી રહ્યા છે પરંતુ તેમનો પરિવાર લગભગ એક અઠવાડિયા પહેલા જ ગયો હતો. પરિણામે નવા ફ્લેટ પર સ્વસ્તિક ચિહ્નએ પાડોશીઓનું ધ્યાન ખેંચ્યુ. 

તેલુગુ પરિવારે પાડોશીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો

તેલુગુ પરિવારે સાઉદી શખ્સને એ સમજાવીને મનાવવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રતીક શું દર્શાવે છે પરંતુ બધુ વ્યર્થ ગયુ કેમ કે સ્થાનિક શખ્સે બાદમાં પોલીસનો સંપર્ક કર્યો, જેમણે કેમિકલ એન્જિનિયરને જેલમાં પૂરી દીધો. રિપોર્ટ અનુસાર એનઆરઆઈ કાર્યકર્તા અને એપીએનઆરટીએસના સમન્વયક મુઝમ્મિલ શેખે કહ્યુ કે ગુંટૂરના વ્યક્તિ સુધી પહોંચવા માટે તેમણે શુક્રવારે રિયાધથી ખોબાર સુધી લગભગ 400 કિલોમીટરની મુસાફરી કરી.

સાંસ્કૃતિક ગેરસમજના કારણે ધરપકડ થઈ

મુજમ્મિલ શેખે કહ્યુ, સાંસ્કૃતિક ગેરસમજના કારણે જ ધરપકડ થઈ છે. અમે અધિકારીઓને એ વિશે જણાવ્યુ કે કેવી રીતે ભારતમાં આ પ્રતીકનું સન્માન કરવામાં આવે છે અને આને ઘરો, કાર્યાલયો વગેરે પર કેવી રીતે મૂકવામાં આવે છે. તેલુગુ એન્જિનિયર સોમવારે જેલમાંથી મુક્ત થઈ જશે કેમ કે ત્યાં શનિવાર અને રવિવારે રજા હોય છે. મુજમ્મિલ શેખે કહ્યુ, સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાય માટે કામ કરતા કેરળના જાણીતા સામાજિક કાર્યકર્તા, નાસ શૌકત અલી પણ ગુંટૂરના વ્યક્તિની મુક્તિ માટે મદદ કરી રહ્યા છે.

હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક

સ્વસ્તિક હિંદુ ધર્મમાં એક પવિત્ર પ્રતીક છે. જ્યારે નાજી પ્રતીકમાં એક સફેદ વૃત્ત પર 45 ડિગ્રીના કોણ પર ઝૂકેલુ એક કાળુ સ્વસ્તિક છે. સ્વસ્તિકમાં એક સમભુજ ક્રોસ છે, જેની ભુજાઓ સમકોણ પર વળેલી છે, જેનાથી એક ચોરસ આકાર બને છે. સ્વસ્તિકનો ઉપયોગ સદીઓથી વિશ્વભરના વિભિન્ન ધર્મોમાં કરવામાં આવે છે. આનો ઉપયોગ સદ્ભાવ, શુભ અને સૌભાગ્યને દર્શાવવા માટે કરવામાં આવે છે, જ્યારે નાજી પ્રતીક ઘૃણા, નરસંહાર વગેરે સાથે જોડાયેલુ છે.

Tags :