Get The App

ભારત સરકારના ધડાધડ મોટા નિર્ણયો બાદ પાકિસ્તાન સરકાર અને સેનામાં દોડાદોડી મચી

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
ભારત સરકારના ધડાધડ મોટા નિર્ણયો બાદ પાકિસ્તાન સરકાર અને સેનામાં દોડાદોડી મચી 1 - image


Pakistan meeting : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવેલા કડક નિર્ણયોને કારણે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. જેના પરિણામે, ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર ચર્ચા કરવા માટે આજે પાકિસ્તાનના ટોચના અસૈન્ય અને સૈન્ય નેતૃત્વની એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને શું કહ્યું? 

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બુધવારે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન  શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક યોજાશે." તેમણે કહ્યું કે આમાં ભારતના પગલાંનો યોગ્ય જવાબ આપવા માટે નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં ત્રણેય સેનાના વડાઓ અને મુખ્ય કેબિનેટ મંત્રીઓ ભાગ લેશે. આવી બેઠકો કેટલાક પ્રસંગોએ બોલાવવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

કહ્યું- પહલગામ હુમલા સાથે કોઈ સંબંધ નથી

પહલગામ આતંકવાદી હુમલા પછી આંતરરાષ્ટ્રીય સમુદાય જે રીતે ભારત સાથે આવી રહ્યો છે તેનાથી પાકિસ્તાન સ્પષ્ટપણે દબાણ અનુભવી રહ્યું છે. આ ક્રમમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્પષ્ટતા કરી છે કે આ હુમલાનો તેમના દેશ સાથે કોઈ સંબંધ નથી.

અમને પ્રવાસીઓના મૃત્યુની ચિંતા છે :  પાકિસ્તાન

દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેના ટૂંકા જવાબમાં કહ્યું, 'અમને અનંતનાગ જિલ્લામાં થયેલા હુમલામાં પ્રવાસીઓના મોત અંગે ચિંતા છે.' અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ.


Tags :