ટિકાકારોની ચિંતા કર્યા વગર સરકાર પરિવર્તન લાવી શકે
- આર્થિક તંત્રને તાળા મારેલા ના રાખી શકાય
ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

એક વાત સ્પષ્ટ છે કે ૧૭ મે આવશે પણ કોરોના વાઇરસ જવાનો નથી. મે માસના અંત સુધી લોકડાઉન લંબાવવાની વાતો ચાલે છે પરંતુ આવી સ્થિતિ સમાજના મોટા ભાગના વર્ગ માટે ત્રાસ દાયક પુરવાર થશે. બીજી રીતે લખીએ તો જ્યાં સુધી અસરકારક વેક્સીન શોધાય ત્યાં સુધી આપણે કોરોના વાઇરસ સાથે રહેતા શીખી જવું પડશે.
પરંતુ એક હકીકત ભૂલવી ના જોઇએ કે વેક્સીનની રાહ જોવામાં આપણે આર્થિક તંત્રને તાળાં મારેલા ના રાખી શકીએ. એટલેજ સત્તાવાળાઓ તેમજ પ્રજાએ વાઇરસ સાથે જીવવાની તૈયારી કરી દીધી હોય એમ લાગે છે. જો કે આડેધડ ઉદ્યોગો ખોલવાનો પણ કોઇ અર્થ નથી.રાજ્ય સરકાર અને વિવિધ ખાતાઓ વચ્ચે સંકલનનો અભાવ હોય તો વધુ હોબાળો સર્જાઇ શકે છે. કર્મચારીઓ પણ કામ માટે આવવા જોઇએને. ઉદાહરણ તરીકે ગુરગાંવ અને નોઇડામાં નાના કારખાના શરુ કરવાને પરવાનગી અપાય પરંતુ તેના સ્ટાફને આવવા જવા માટેની કોઇ વ્યવસ્થા ના કરાય તો કારખાના શરુ કરવાનો કોઇ અર્થ નથી. આવું પગલું મૂર્ખામી ભર્યું કહી શકાય.
લોકો વાઇરસ સામે જોખમ ઉઠાવીને વેપાર ધંધા શરુ કરવા તૈયાર છે પરંતુ સરકારે પણ દરેક ડિપાર્ટમેન્ટને એક્ટીવ કરવા પડશે. ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો કહે છે કે કારખાના બંધ કરવા આસાન છે પરંતુ તે ખોલવા આસાન નથી હોતા. ટોચના ઉદ્યોગપતિઓએ કહ્યું છે કે વ્યાપક રીતે બધું ઓપન કરવું જોઇએ.
એવું પણ નથી કે ગરીબો અને રોજીંદી આવકવાળા લોકો માટે લોકડાઉન ખોલવું જોઇએ. તેમના માટે ભોજન કે અન્ય સહાય આપી શકાય છે પરંતુ તેમની વતન જવાની સમસ્યા બાબતે પણ વિચારવું જોઇએ. તેમના માથે છાપરું હશે પણ આવકનું શું? આ સમસ્યા વચ્ચે તે લોકોને સમજાવી શકે એવા સામાજિક નેતાઓની અછત જોવા મળી હતી. તેમને જોઇતો હીલીંગ ટચ કોઇ આપી શક્યું નહોતું.
વતને પાછા જતાં શ્રમિકો માટે રાહત યોજનાઓની જાહેરાત કરવી પડશે. રવિ પાકની સિઝનમાં તેમનેા ઉપયોગ થઇ શકે એવું પ્લાનીંગ કરવાની જરુર છે. પંજાબ અને હરિયાણામાંથી ખેેત મજૂરો વતન જતા રહેશે તો પાક લણવા માટેના મજૂરોની મોટી અછત ઉભી થવાની છે.
મોદી સરકારે તેની પ્રથમ ટર્મમાં ગામડાના ગરીબો તેમજ તેમના મધ્યમ વર્ગના ટેકેદારો પર ધ્યાન આપવાનું હતું. પરંતુ તેમના હિતોપર ધ્યાન નહોતું અપાયું. જનધન સ્કીમ,રાંધણ ગેસ રાહત દરે આપવો, ગાંડાઓમાં હજારો ટોઇલેટ ઉભા કરવા, ખેેડૂતોને રોકડ સહાય વગેરેના કારણે ૨૦૧૯માં તેમને ભવ્ય જીત મળી હતી. લાખો હજારો શ્રમિકો તેમના વતન જાય છે તે સમસ્યા ઉભી કરશે એમ કેટલાક લોકો કહે છે.હકીકત તો એ પણ છે કે મોદી સરકારે મધ્યમ વર્ગ, ઉદ્યોગો અને કોમર્સ માટે કોઇ રાહતભર્યા પગલાં લીધા નથી.
આ સમયનો લાભ ઉઠાવીને સરકારે લેબર, ફાયનાન્સ અને લેન્ડ બાબતે આમૂલ પરિવર્તન સાથેના પગલાં લેવાની જરુર છે. મહત્વના ક્ષેત્રોમાં ગ્રોથને અટકાવતા મુદ્દાઓને દુર કરવા જરુરી છે. ચીનથી આવનારા સંભવિત બિઝનેસ પર ધ્યાન આપવાના બદલે સરકારે પોતાની તાકાત ઉભી કરવાની જરુર છે. રાજકીય નિર્ણયો લેવામાં મોદીએ હિંમત બતાવી છે એમ આર્થિક નિર્ણયો માટે પણ કરવું પડશે. મોદી માટે આ તક સામે આવીને ઉભી છે.
ચીન પોતાને સામાજીક રીતે મળતાવડા નથી ગણતા પણ બજારો માટે ઓપન છે એમ આપણે સામાજીક રીતે ઓપન હોવાનો દાવો કરીએ છીએ પણ બજારો માટે બંધીયાર છીએ. તેના બદલે વૈશ્વિક બજારો માટે ઓપન થવાની જરુર છે.
એક તરફ આપણે મંદીના કળણમાં ખંૂપી રહ્યા છીએ તો બીજી તરફ વિદેશી રોકાણો માટે પ્રયાસો પણ કરી રહ્યા છીએ. રોકાણકારોને ભારત લાવી શકાશે પણ લેબર રિફોર્મ તેમજ લેન્ડ રિફોર્મનો મુદ્દો પણ ભૂલવો ના જોઇએ.
ટિકાકારોની ચિંતા કર્યા વગર સમયનો લાભ ઉઠાઓ...
શું કરવું જોઇએ એને શું ના કરવું જોઇએ જેવી વિરોધ પક્ષોની સલાહો અને ટિકાઓની ચિંતા કર્યા વગર રિફેાર્મના બીજા સેટ માટેની તૈયારી કરવી જોઇએ. શ્રમજીવીઓને તેમાન વતન જવા નથી દેવાતા એમ કહીને એક હિન્દી ચેનલવાળા ધાંટા પાડીને રજૂઆત કરતા હતા પરંતુ બીજા દિવસે જ્યારે સરકારે ટ્રેન દોડાવાની વાત કરી ત્યારે તે ચેનલવાળા એ એમ કહ્યું કે હવે ટ્રેન દોડાવવાને કોઇ અર્થ નથી કેમકે લોકડાઉન પુરુ થવા આવ્યું છે. ટૂંકમાં આ લોકો બંને બાજુ બોલી શકે છે. એટલે મોદીએ પરિવર્તનના પગલાં લેવા જોઇએ.