World Food Safety Day 2020 : ખાદ્ય સુરક્ષા દિવસ કેમ મનાવવામાં આવે છે?
- જાણો, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ
- દર વર્ષે 7 જૂનના દિવસે વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 07 જૂન 2020, રવિવાર
દરેક વ્યક્તિને ભોજન મળે, કોઇ ભૂખ્યુ ન રહે... આ હેતુ માટે વિશ્વભરના દેશોની સરકાર પ્રતિબદ્ધતાનો દાવો કરે છે અને જેના માટે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંસ્થાને દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day) મનાવવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષે જ એટલે કે 2019માં શરૂ કરવામાં આવેલા ખાસ દિવસનું મહત્ત્વ વધી રહ્યું છે. કારણે કે વિશ્વની મોટી વસ્તી કોરોના સંકટથી પ્રભાવિત છે અને સંકટના આ સમયે કેટલાય લોકો ભૂખમરાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.
આ વર્ષે બીજો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય સંતુલિત અને સુરક્ષિત ખાદ્ય ધોરણને જાળવી રાખવા અને જાગરૂકતા ફેલાવવાનો છે. આ ઉપરાંત ખરાબ ગુણવત્તાવાળા ખોરાકના સેવનથી થતી બીમારીઓના કારણે નિપજતા મોતનો આંકડો ઘટાડવાનો છે.
ખાદ્ય સુરક્ષા શું છે?
અમે દરરોજ ઘણાબધા ખાદ્ય પદાર્થનું સેવન કરીએ છીએ. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે કે ખોરાક પહેલા ઉત્પાદનથી લઇને પાક, પ્રક્રિયા, સંગ્રહ, વિતરણ, તૈયારી સુધી ખાદ્ય શ્રૃંખલાના દેરક તબક્કા સંપૂર્ણપણે સુરક્ષિત હોય. તેના માટે જાગરૂકતા માટે ખાદ્ય સુરક્ષા દિવસનો તર્ક અને મહત્ત્વ વધી જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દૂષિત ખાદ્ય અથવા બેક્ટેરિયા યુક્ત ખાદ્યથી દર વર્ષે 10માંથી એક વ્યક્તિ બિમાર થાય છે. વિશ્વભરની વસતી અનુસાર જોવામાં આવે તો આ આંકડો 60 કરોડ પાર કરી ચુક્યો છે. વિશ્વભરમાં વિકસિત અને વિકાસશીલ દેશમાં દર વર્ષે ભોજન અને પાણીજન્ય બીમારીથી આશરે 30 લાખ લોકોની મોત થઇ જાય છે.
ભોજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઝડપથી વધતી ફૂડ ચેન અને બિઝનેસ સ્પર્ધા વચ્ચે ધોરણો અને નિયમોને સુરક્ષિ રાખવા વધારે મહત્ત્વપૂર્ણ છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો તર્ક સુરકક્ષિત અને પૌષ્ટિક ભોજનનો ઉપયોગ કરીને જીવનને સ્વસ્થ બનાવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે.
ભારતમાં ખાદ્ય સુરક્ષા
રાજ્યો દ્વારા સુરક્ષિત ખાદ્ય ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નોના સંદર્ભમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્ષ (SFSI) વિકસિત કરવામાં આવ્યું છે. એફએસએસએઆઇ (FSSAI)એ ખાદ્ય કંપનીઓ અને વ્યક્તિઓના યોગદાનને ઓળખ આપવા માટે 'ઇટ રાઇટ એવોર્ડ'ની શરૂઆત કરવામાં આવી, જેના મારફતે નાગરિકોને સુરક્ષિત અને સ્વાસ્થ્ય ખાદ્ય વિકલ્પ પસંદ કરવા માટે સશક્ત બનાવી શકાય છે.
ખાદ્ય સુરક્ષા પર સંયુક્ત રાષ્ટ્રના દિશાનિર્દેશ
- સરકારે તમામ લોકો માટે સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવું જોઇએ.
- કૃષિ અને ખાદ્ય ઉત્પાદનમાં સારી પ્રથાઓ અને ચલણ અપનાવવું જોઇએ.
- વેપારી ખાતરી કરે કે ખાદ્ય પદાર્થ સુરક્ષિત અને ગુણવત્તાસભર હોય.
- લોકોને સુરક્ષિત, સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન પ્રાપ્ત કરવાનો અધિકાર છે.
- આ વિશે સામાન્ય ગ્રાહકોને પણ યોગ્ય માહિતી આપવી જોઇએ.