Get The App

એઇડ્સથી બચાવશે લક્ષણ અને સારવારની 5 વાતો

Updated: Dec 2nd, 2018

GS TEAM


Google News
Google News

World Aids day:

હ્યુમન ઇમ્યૂનોડેફિશિયસી વાયરસ (HIV) સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા કહે છે 2017ના આંકડાઓ મુજબ 3.69 કરોડ લોકો એચઆઈવી ગ્રસ્ત છે. આ રોગની જાગૃતિ માટે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ ડે ઉજવાય છે.

આ દિવસે આપણે આ રોગ થવાના કારણો અને એનાથી બચવાના ઉપાય પર ચર્ચા કરવાની સારી તક છે. આ દિવસે વર્લ્ડ એઇડસ ડે ની થીમ' નો યોર સ્ટેટસ' રાખવામાં આવી છે એનો હેતુ લોકોને પોતાનું એચઆઈવી ચેકઅપ કરાવવાની સલાહ આપવાનો છે.

એઇડ્સથી બચાવશે લક્ષણ અને સારવારની 5 વાતો 1 - image

આ બીમારીને લગતી પાંચ બાબતો જાણવી બહુ જરૂરી છે.

માણસની ઇમ્યૂન સિસ્ટમને શિકાર બનાવે છે HIV વાયરસ

એચઆઈવીનો અર્થ એ વાયરસથી છે જેનાથી એચઆઈવીનો ચેપ લાગે છે. તે માણસની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ)ને શિકાર બનાવે છે. જેનાથી રોગો સામે લડવાની એમની શક્તિ ઓછી થઇ જાય છે. તેમને કેન્સર અને બીજા કેટલાક ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.

એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમ(એઇડ્સ) એચઆઈવીનો એડવાન્સ સ્ટેજ છે. જેના લીધે શરીરમાં સીડી4 કોશિકાઓની સંખ્યા બહુ ઘટી જાય છે. આ ચેપની સારવાર ના થા તો રોગપ્રતિકારક શક્તિ નાશ પામે છે અને એઇડ્સનું જોખમ વધી જાય છે.

HIVની સારવાર ના થતાં વધે છે એઇડસનું જોખમ 

એચઆઈવી ચેપવાળા લોહી, સીમેન, રેક્ટલ ફ્લૂડ, વેજાઈનલ ફ્લૂડ અને એચઆઈવીગ્રસ્ત વ્યક્તિના દૂધથી ફેલાઈ શકે છે. જો કે તે કિસ કરવાથી, હાથ મિલાવવાથી કે વસ્તુઓ શેર કરવાથી થતો નથી.

એઇડ્સથી બચાવશે લક્ષણ અને સારવારની 5 વાતો 2 - image

ઇમ્યૂન સિસ્ટમ નબળી થઇ જાય છે

એચઆઈવીના પ્રારંભિક લક્ષણોમાં તાવ આવવો, સોર થ્રોટ, ત્વચા પર ચકામા, શરીરમાં દુખાવો કે માથાનો દુખાવો થઇ શકે છે. આ ચેપ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દે છે અને એના લીધે મોંમાં લાળની ગ્રંથિઓમાં સોજા આવી શકે છે. આ ઉપરાંત ડાયેરિયા અને વજનમાં ઝડપથી ઘટાડો થઇ શકે છે.

રહે છે ટીબી, મેનિનજાઈટિસનું જોખમ 

સમયસર સારવાર ના કરાવવામા આવે તો એચઆઈવીગ્રસ્ત વ્યક્તિને ટીબી, મેનિનજાઈટિસ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને લિંફોમા જેવા કેન્સર પણ થઇ શકે છે.

એચઆઈવીને ફેલાતા રોકી શકાય છે

એચઆઈવીનો કોઈ ઇલાજ નથી પરંતુ એના વાયરસને ફેલાતા રોકી શકાય છે. જેથી દર્દી સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે. તેની સારવારમાં એન્ટીરેટ્રોવાયરલ થેરપી(એઆરટી) અને ટ્રાન્સમિશનના જોખમને ઓછુ કરવાની દવાઓ છે.

Tags :