Get The App

આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ રીંગણ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

Updated: Aug 22nd, 2023

GS TEAM


Google News
Google News
આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ રીંગણ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 22 ઓગસ્ટ 2023 મંગળવાર

ઘણા એવા લોકો હોય છે જેમને રીંગણ ખાવા ખૂબ પસંદ હોય છે પરંતુ રીંગણની સૌથી મોટી ખાસિયત એ છે કે દરેક મોસમમાં આ તમને સરળતાથી મળી જાય છે પરંતુ શું તમને ખબર છે કે શિયાળામાં રીંગણ ખાવાના ખૂબ જ ફાયદા છે. રીંગણ ખાવાથી હૃદયની બીમારી, બ્લડ શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે. રીંગણ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે પરંતુ અમુક લોકોએ રીંગણ ખાવાથી બચવુ જોઈએ.

આ લોકોએ રીંગણ ખાવા જોઈએ નહીં

ગેસ અને પેટની તકલીફ  

જે વ્યક્તિને વારંવાર પેટની તકલીફ રહે છે તેમણે રીંગણ ક્યારેય ખાવા જોઈએ નહીં. જે વ્યક્તિને ગેસની સમસ્યા થઈ જાય છે તેમને પણ રીંગણ ખાવા જોઈએ નહીં.

એલર્જી  

જો કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારની સ્કિન એલર્જી હોય તો તેમણે પણ રીંગણ ખાવા જોઈએ નહીં કેમ કે રીંગણ ખાવાથી તમારી એલર્જી ટ્રિગર થઈ શકે છે.

ડિપ્રેશન

જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનની દવા લઈ રહ્યા હોય કે કોઈ પણ પ્રકારના ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા હોય તો તમારે રીંગણ ખાવાથી બચવુ જોઈએ, કેમ કે આને ખાવાથી તમારી દવાની અસર ઓછી થઈ જાય છે.

લોહીની ઉણપ

શરીરમાં લોહીની ઉણપ હોય તો રીંગણ ખાવા જોઈએ નહીં કેમ કે આ તમારા લોહી બનાવવામાં મુશ્કેલી ઊભી કરે છે. 

આંખોમાં બળતરા 

જે લોકોની આંખોમાં તકલીફ રહે છે જેમ કે બળતરા કે સોજો તેમણે રીંગણ ખાવા જોઈએ નહીં કેમ કે આ દિવસેને દિવસે વધી શકે છે. 

પાઈલ્સ

પાઈલ્સથી પીડિત વ્યક્તિએ રીંગણ ન ખાવા નહીંતર તમારી તકલીફ વધી શકે છે.

પથરી

જે લોકોને પથરીની તકલીફ હોય છે તેમણે રીંગણ ભૂલથી પણ ન ખાવા જોઈએ કેમ કે રીંગણમાં હાજર ઓક્સલેટ પથરીની પ્રોબ્લેમ વધારી શકે છે. 

Tags :