Get The App

આ રીતે બનાવશો રસોઈ તો જળવાઈ રહેશે તેના પોષક તત્વ

Updated: Jul 10th, 2019

GS TEAM

Google News
Google News
આ રીતે બનાવશો રસોઈ તો જળવાઈ રહેશે તેના પોષક તત્વ 1 - image


નવી દિલ્હી, 10 જુલાઈ 2019, બુધવાર

લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીર માટે જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ શાકભાજીમાં સૌથી વધારે હોય છે. નિયમિત રીતે ડાયટમાં લીલા શાકભાજી લેવા જ જોઈએ. પરંતુ શાકભાજીને ખોટી રીતે પકાવવાથી તેના પોષક તત્વો બળી જાય છે. તો પછી શાકભાજી કેવી રીતે તૈયાર કરવા કે તેના પોષક તત્વો વરાળ ન બની જાય અને તેનો લાભ શરીરને મળે.  શાક કેવી રીતે પકાવવામાં આવે છે અને તેને કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે તેના પર પોષકતત્વો જળવાશે કે નહીં તેનો આધાર હોય છે. તો ચાલો જાણી લો પોષક તત્વો જળવાઈ રહે તે રીતે શાકભાજી કેવી રીતે તૈયાર કરવા. 

1. શાકભાજીના પોષક તત્વને બચાવી રાખવા માટે જરૂરી છે કે તેને નાના ટુકડામાં ન સમારો. નાના ટુકડા કરવાથી શાકના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. 

2. શાકભાજીને કાપ્યા બાદ તેને ધોવા નહીં. શાકભાજીને પહેલા સારી રીતે ધોઈ લેવા પછી તેને સમારો. 

3. શાકભાજીને જો સ્ટોર કરવાના હોય તો તેને સમારીને સ્ટોર ન કરો. સમારી  લેવાથી તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે.

4. શાકને વધારે સમય સુધી પકાવવા નહીં. વધારે પડતા ગરમ થવાથી પણ પોષક તત્વોનો નાશ થાય છે. શાકભાજી પકાવવાનો યોગ્ય સમય સમજી લેવાથી પોષક તત્વોનો લાભ શરીરને મળે છે. 

5. વિટામિન હીટ પ્રત્યે સંવેદનશીલ હોય છે તેથી ભોજનને યોગ્ય સમય સુધી જ ગેસ પર રાખવા. 



Tags :