Get The App

સીતાફળ ખાવાના છે અદભુત ફાયદાઓ, નહીં જાણતા હોવ તમે

Updated: Nov 19th, 2019

GS TEAM


Google News
Google News
સીતાફળ ખાવાના છે અદભુત ફાયદાઓ, નહીં જાણતા હોવ તમે 1 - image

અમદાવાદ, તા. 19 નવેમ્બર 2019 મંગળવાર

સીતાફળ અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ અને સુગર એપલ તરીકે ઓળકાય છે. તેમાં કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ પ્રચૂરમ માત્રામાં છે. તેના બિયાંનો ઉપયોગ વાળમાંની જૂંનો નાશ કરવા માટે વપરાય છે.

સીતાફળમાં વજન વધારવાની ક્ષમતા ભરપૂર હોય છે. તેથી જે વ્યક્તિને વજન વધારવું હોય તેના માટે આ એક સારો ઉપાય સાબિત થઇ શકે છે. સીતાફળને રોજિંદા આહારમાં સામેલ કરીને વજન વધારી શકાશે.

તેનમાં કુદરતી જ એન્ટી ઓક્સિડન્ટ વિટામિન સી વધુ માત્રામાં હોય છે. વિટામિન સીમાં શરીરમાંના રોગથી લડવાની શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને વધારવાની ક્ષમતા હોય છે, તેથી નિયમિત એક સીતાફળ ખાઇને બીમારીને ભગાડવી.

હંમેશા થાક અનુભવાતો હોય છે ? સીતાફળ આ  તકલીફ દૂર કરે છે. સીતાફળ એનર્જીનું સ્ત્રોત છે. તેના સેવનથી થાક દૂર થાય છે અને સ્નાયુઓ મજબૂત થાય છે.

વિટામિન બી કોમ્પલેક્સથી ભરપૂર સીતાફળ દિમાગને પણ ઠંડક પ્રદાન કરે છે. માનસિક રીતે દ્ઢ કરે છે. વારંવાર ચિડાઇ જવાની સ્વભાવવાળી વ્યક્તિ માટે સીતાફળનું સેવન ગુણકારી છે. નિરાશા અને તાણ મુક્ત કરવાની પણ ક્ષમતા સીતાફળમાં છે.

- સીતાફળનું સેવન દાંત માટે પણ લાભદાયી છે. નિયમિત ખાવાથી પેઢામાં થતા દુખાવાથી રાહત થાય છે.

- રક્તમાં હેમોગ્લોબિનની ઊણપ હોય તો સીતાફળનું સેવન ગુણકારી નીવડે છે.

સીતાફળ ખાવાના છે અદભુત ફાયદાઓ, નહીં જાણતા હોવ તમે 2 - image- સીતાફળ આંખમાટે પણ ફાયદાકારક છે. તે નેત્રજ્યોતિ વધારે છે. તેમાં વિટામિન સી અને રિબોફ્લોવિનનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. જે આંખ માટે લાભદાયી નીવડે છે. સીતાફળનું નિયમિત સેવન ચશ્માના વધુ નંબરને ઓછા કરે છે.

- તેમાં સોડિયમ અને પોટિશિય સંતુલિત માત્રામાં હોય છે, જેનાથી રક્ભ્રણ અને બ્લડપ્રેશરમાં અચાનક થનારા બદલાવ નિયંત્રિત થાય છે.

- બન્ને પ્રકારની શુગરને સંતુલિત રાખવામાં સીતાફળું સેવન મદદગાર છે. તેનામાં શરીરમાં થનારી સુગરને શોષી લેવાનો ગુણ છે અને આ રીતે તે શરીરમાંના સુગર લેવલને સામાન્ય સ્તર પર લાવી શકે છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક

ત્વચા અને વાળને સ્વસ્થ બનાવામાં સહાય કરે છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર હોય છેજે સેલ સંરચનાની રક્ષા કરે છે. જે ત્વચાની ચમક અને નરમીને જાળવી રાખે છે. ત્વચાને બુઢાપાના લક્ષણથી બચાવે છે. કરચલી ઓછી કરીને યુવાન દાખવવામાં મદદ કરે છે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

પાચનશક્તિ સુધારે છે

સીતાફળમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે. જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત અને આંતરડાની તકલીફ ઓછી થાય છે. તેની લુગદીમાં થોડું પાણી ભેળવીને સેવન કરવું.

કેન્સરના વિકાસને રોકે છે. સીતાફળમાં એવા પોષક તત્વ હોય છે, જે કેન્સરને રોકનારા ગુણ તરીકે કાર્ય કરે છે. તેનામાં એસિટોડિનન અને એલ્કોનાઇડ હોય છે,  જે ટયુમરની કોશિકાઓના વિકાસને રોકે છે.

તેના બિયાં જૂંનો નાશ કરે છે

સીતાફળના પાવડરમાં જૂંનો નાશ કરવાની ક્ષમતા હોય છે. સીતાફળના પાવડરને કોપરેલ અથવા પાણી સાથે ભેળવી પેસ્ટ બનાવવી અને વાળમાં 15-20 મિનીટ લગાડી રાખવી અને પછી વાળ ધોઇ નાખવો. સીતાફળના બિયાં ઝેરીલા જંતુનાશક હોવાથી પાવડરને આંખથી દૂર રાખવો.  

Tags :