Get The App

ચહેરાની રંગત નિખારશે ફળ અને શાકભાજીનો લાલ રંગ, ડાયેટમાં કરો સામેલ

Updated: Sep 9th, 2018

GS TEAM

Google News
Google News
ચહેરાની રંગત નિખારશે ફળ અને શાકભાજીનો લાલ રંગ, ડાયેટમાં કરો સામેલ 1 - image

અમદાવાદ, તા. 9 સપ્ટેમ્બર 2018 રવિવાર

ક્યારેય વિચાર્યું છે કે ફળ અને શાક વિવિધ રંગના કેમ હોય છે. આ રંગ અને પોષણને કોઈ સંબંધ છે કે નહીં. મોટાભાગના લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે કારણ કે એમાં ફાઈબર, આર્યન અને ફોટો ન્યટ્રિએન્ટમ્સ હોય જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયી છે. જોકે આજે આપણે લાલ શાકભાજી અને ફળોના સેવનથી થતાં લાભ વિશે વાત કરીશું.

ડાર્ક લાલ રંગના ફળ અને શાક કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન અને ચરબીને શરીરમાં એનર્જી બનાવવામાં મદદ કરે છે. એમા ઘણા પાવરફુલ અને હૃદયને સુધારનારા એન્ટીઓક્સિડેન્ટ્સ પણ હોય છે. જેમ કે એન્થોસિયાનિન, લાઈકોપિન, ફ્લેવેનૉએડ અને રેસવેરાટ્રોલ. એમાં હૃદયરોગો અને પ્રોસ્ટેટ કેન્સર સામે લડવાની તાકાત હોય છે અને તે સ્ટ્રોક અને મૈક્યુલર ડિજનરેશનના જોખમને પણ ઘટાડે છે. 

લાલ રંગ ખાદ્યપદાર્થોની યાદી આ મુજબ છે.

• દાડમ

• તરબૂચ

• લાલ સફરજન

• ચેરિઝ

• લાલ નારંગી

• રાસબેરી

• સ્ટ્રોબેરી

• રેડ દ્રાક્ષ

• ક્રેનબેરી

• રેડ ગ્રેપફ્રૂટ

• લાલ નાશપતી

• ટામેટાં

• કેપ્સિકમ

• લાલ રાજમા

• લાલ મરચાં

• બીટ

• રેડ ગાજર

• લાલ ડુંગળી

• લાલ બટાકા

લાલ રંગના ફળ- શાકમાં કેલરી અને સોડિયમ ઓછા હોય છે. એમા કૈરોટિનૉએડ નામના લાઈકોપિનનું પ્રમાણ વધારે હોવાથી જ એમનો રંગ લાલ હોય છે. લાઇકોપિન ફેફસાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સ્કીન કેન્સર, કોલોન કેન્સર અને ઓસોફેગસ કેન્સર સામે લડવાની તાકાત આપે છે.

એન્થોસિયાન્સિસ લાઈકોપિન, ફ્લેવેનૉએડ્સ અને રેસવેરાટ્રૉલ જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ લાલ રંગના ફળ-શાકમાં જોવા મળે છે. જે હૃદયરોગ, કેન્સપ સામે લડવામાં મદદ કરે છે અને આંખોના તેજને વધારવાની સાથે સાથે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યૂટનું કહેવું છે કે મોટાભાગના યંગસ્ટર્સ પોતાના નિયમિત આહારમાં પૂરતાં પ્રમાણમાં લાલ અને ઓરેન્જ રંગના શાકભાજી લેતાં નથી.

દાડમ 

દાડમમાં એવા એન્ટ્ઑક્સિડેન્ટ હોય છે. જે પ્રોસ્ટેટ કેન્સર અને એવાં બીજા કેન્સરથી બચાવે છે. એમાં એન્ટી ઇન્ફ્લામેન્ટ યૌગિક હોય છે. જે શરીરના સોજાને ઓછા કરે છે અને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે.

લાલ સફરજન

લાલ સફરજનમાં એન્ટિઓક્સિડન્ટ્સ, ડાયેટરી ફાઇબર અને ફલેવોનોઈડ્સ હોય છે. આ એન્ટીઑકિસડન્ટ કેન્સર, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હ્રદયરોગનું જોખમ ઘટાડે છે.

બીટ

બીટરૂટ એન્ટીઑકિસડન્ટ ધરાવતી શ્રેષ્ઠ વનસ્પતિ છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી, નાઇટ્રેટ અને ફોલેટ હોય છે. આ પોષક તત્વો બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે સાથે જ રક્ત પ્રવાહમાં સુધારો કરવામાં મદદ કરે છે.

તરબૂચ

તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં મળતું લાઈકોપિન હૃદય રોગના જોખમને ખાસ્સું ઘટાડે છે. તે એલડીએલ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરીને સ્ટ્રોકના જોખમને પણ ઓછું કરે છે. લાલ રંગના ફળ પ્રોસ્ટેટ કેન્સર અને મેક્યુલર ડિજનરેશનનું જોખમ પણ ઘટાડે છે.

લાલ ગાજર

ગાજરમાં પ્રચુર પ્રમાણમાં પોટેશિયમ, ફોલેટ, વિટામિન સી, લાઈકોપિન, એન્થોસિયાનિન, ઝિંક (જસત), ફોસ્ફરસ, મેગેનીઝ, કૉપર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામીન બી, વિટામિન ઇ, વિટામિન્સ અને ડાયેટરી ફાઇબર હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે.

લાલ ટામેટાં

ટામેટાંને ફળ કહેવામાં આવે છે અને તેમાં રહેલું લાઈકોપિન પ્રોસ્ટેટ કેન્સર, ઓસોફેગસ કેન્સર અને કોલોન કેન્સરને મટાડવામાં મદદરૂપ થાય છે. લાઈકોપિન રાંધેલા ટામેટાં જેમ કે સૂપ, સ્ટૂ અને ચટણી વગેરેમાંથી મળે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીને ફોટેટ, પોટેશિયમ અને વિટામિન સીનું શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. વિટામિન સીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ માણસની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘટાડે છે. એક સ્ટ્રોબેરીમાં નારંગી કરતા વધારે વિટામિન સી હોય છે

ક્રેનબેરી

ક્રેનબેરી યૂટીઆઇ સામે રક્ષણ આપે છે. તે પેટમાં થતાં બેક્ટેરિયા અને પેટમાં અલ્સર કરતાં પાઈલોરીથી બચાવે છે. તે શક્તિશાળી પ્રોએન્થેસિયાનિદિન હોય છે જે ખૂબ ફાયદાકારક છે.

ચેરી

ડાર્ક લાલ રંગની ચેરીમાં ભરપૂર પોષકતત્વો હોય છે. ચેરીમાં રહેલાં એન્થોસિયાનિન તેને ડાર્ક લાલ રંગ આપે છે. આ એન્થોસિનિન શરીરને ફ્રી રેડિકલથી થતાં નુકસાન સામે રક્ષણ આપે છે અને બાહ્ય ઝેરી પદાર્થોને એજિંગની (વૃદ્ધ થવાની) પ્રક્રિયાને ઝડપી બનાવતા રોકે છે.

રાસબેરી

રાસબરીમા ભરપૂર પ્રમાણણાં રહેલાં ફાઈબર એલડીએલનું સ્તર ઘટાડવાની સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો કરે છે. રાસબરીમાં પૂરતાં પ્રમાણમાં ઝિંક, નિઆસીન, પોટેશિયમ અને વધારે પ્રમાણમાં લિગનન, ટૈનિન, ફેનોલિક એસિડ અને ફ્લેવેનૉએડ જેવાં પોલિફેનોલિક ફાઇટોકેમિકલ્સ હાજર હોય છે.

લાલ કેપ્સિકમ

લાલ કેપ્સિકમ રોગપ્રતિકાર તંત્રને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, વિટામિન ઇ, ફોલેટ તેમજ માત્ર 30 કેલરી હોય છે.

લાલ રાજમા

લાલ રંગના રાજમામાં હૃદયને સ્વસ્થ રાખતાં ફાઈબર અને ઝિંક હોય છે. આ પદાર્થો ઘા ને ભરવામાં મદદ કરે છે અને વિટામિન બી ન્યુરોલોજીકલ ક્રિયાને વધારે સારી બનાને છે. આમાં પોટેશિયમ અને ફોલેટ પણ હોય છે.

Tags :