Get The App

રક્તદાન કરવાના કેટલાક ફાયદા અને નિયમો, જાણો કોણ રક્તદાન ન કરી શકે

એક માહિતી પ્રમાણે ત્રીસ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ રક્તદાન કરવા માટે યોગ્ય હોય છે.

એન્ટિબાયોટિક્સ દવા લેતા લોકો નથી કરી શકતા રક્તદાન

Updated: Jun 12th, 2023

GS TEAM


Google News
Google News
રક્તદાન કરવાના કેટલાક ફાયદા અને નિયમો, જાણો કોણ રક્તદાન ન કરી શકે 1 - image
Image Envato

તા. 12 જૂન 2023, સોમવાર 

રક્તદાન એ મહાન દાન છે... આપણામાંથી દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું જ હશે. કારણ કે ઈમરજન્સીમાં લોહીના અભાવે જીવન-મરણ વચ્ચે જોલા ખાતો હોય ત્યારે  જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે.

આપણામાથી ઘણા લોકોએ રક્તદાન કર્યુ હશે, તો કેટલાકને ખબર નહી હોય કે ક્યારે રક્તદાન કરી શકાય. પરંતુ દરેક વ્યક્તિ રક્તદાન કરી શકતા નથી, તેની પાછળ ઘણા કારણો છે. જો તમે પણ રક્તદાન કરવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ કે કોણ રક્તદાન કરી શકે છે અને કોણ નહીં?  એક માહિતી પ્રમાણે ત્રીસ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ રક્તદાન કરવા માટે યોગ્ય હોય છે.

જો કાન વીંધાવ્યા હોય કે ટેટૂ કરાવ્યું હોય

જે લોકોએ તાજેતરમાં જ નાક, કાન અથવા શરીરનો કોઈપણ ભાગમાં વીંધાવ્યો હોય. અથવા ટેટૂ કરાવ્યા હોય તે લોકો રક્તદાન કરી શકતા નથી? જો તમે પણ કોઈ પરમેન્ટ મેકઅપ ટ્રીટમેન્ટ કરી હોય તો તમારે રક્તદાન કરતા પહેલા ઓછામાં ઓછા ચાર મહિના રાહ જોવી પડશે. આ બાબતે નિષ્ણાતો કહે છે કે ટેટૂ કે મેકઅપની સારવાર પછી તરત જ રક્તદાન કરવાથી હેપેટાઇટિસ વાયરસના ચેપનું જોખમ રહેલું હોય છે. 

સેક્સુઅલિટીનો પણ એક નિયમ છે

સમલૈંગિકો અથવા એવા લોકો કે જેમણે નવો સેક્સુઅલ પાર્ટનર શોધ્યો હોય અથવા સેક્સ વર્કર સાથે સંબંધ બાંધ્યો હોય તેમને પણ 12 મહિના પહેલા રક્તદાન કરવા પર પ્રતિબંધ છે.

ઓછું વજન

જો તમારું વજન 49 કિલોથી ઓછું હોય તો પણ તમે રક્તદાન કરી શકતા નથી. રેડક્રોસના નિયમો પ્રમાણે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિએ BMI ના હિસાબ પ્રમાણે વજન જાળવી રાખવું પડે છે, તો જ તે રક્તદાન કરી શકે છે.

એન્ટિબાયોટિક્સ દવા લેતા લોકો નથી કરી શકતા રક્તદાન

જો તમે એન્ટિબાયોટિક દવાનો કોઈ કોર્સ કરી રહ્યા હોવ તો તમે રક્તદાન કરી શકતા નથી. જો તમને સાત દિવસની અંદર ચેપ લાગ્યો હોય તો પણ તમે રક્તદાન કરી શકતા નથી.

રક્તદાન પહેલા મુખ્ય બાબતો જાણી લો 

ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.

સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.

જો તમને રક્ત સંબંધિત કોઈ રોગ જેમ કે હિમોફિલિયા વગેરે હોય તો રક્તદાન ન કરો.

18 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રક્તદાન ન કરવું જોઈએ.

રક્તદાન કરતા પહેલા આટલુ કરો

- જે દિવસે તમે રક્તદાન કરવાના છો તે દિવસ પહેલાની રાત્રે હળવો ખોરાક લો અને સારી રીતે સૂઈ જાઓ.

- ચરબીયુક્ત ખોરાક, જંક ફૂડ, આઈસ્ક્રીમ, ફ્રાઈસ બર્ગર, મીટ-ફિશ ખાવાનું ટાળો.

- રક્તદાન કરતા પહેલા પુષ્કળ પાણી પીવો.

- રક્તદાન કરતા પહેલા રાત્રે દારૂ ન પીવો.

Tags :