Sharad Purnima 2020 : જાણો, ચાંદની રોશનીમાં ખીર રાખવાનાં વૈજ્ઞાનિક મહત્ત્વ વિશે..
- ચાંદની રોશનીમાં રાખેલ ખીર ખાવાથી કેટલાય ફાયદા થાય છે
નવી દિલ્હી, તા. 28 ઑક્ટોબર 2020, બુધવાર
શરદ પૂનમનો પાવન પર્વ શુક્રવાર, 30 ઑક્ટોબરે મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચંદ્ર અમૃત વર્ષા કરે છે. શરદ પૂનમના દિવસે આખી રાત ચાંદની રોશનીમાં ખીર રાખવાની માન્યતા પણ છે. માનવામાં આવે છે કે આ ખીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક હોય છે. આખી રાત ચંદ્રની રોશનીમાં ખીર રાખવાનું ધાર્મિક મહત્ત્વની સાથે જ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ હોય છે.
આખી રાત ચાંદની રોશનીમાં ખીર રાખવા પાછળનું વૈજ્ઞાનિક મહત્ત્વ...
ખીર દૂધ અને ચોખામાંથી બનાવવામાં આવે છે. દૂધમાં લેક્ટિક નામનું એસિડ હોય છે જે ચાંદના કિરણોમાંથી વધારે પ્રમાણમાં શક્તિનું શોષણ કરે છે. આ સાથે જ ચોખામાં સ્ટાર્ચ મળી આવે છે જેના કારણે આ પ્રક્રિયા વધારે સરળ બની જાય છે. વૈજ્ઞાનિક માન્યાતાઓ અનુસાર પણ ખીરનું સેવન કરવું ઘણું ફાયદાકારક હોય છે.
અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે ખીર
અસ્થમાના દર્દીઓ માટે આ ખીર ઘણી ફાયદાકારક હોય છે. અસ્થમાના દર્દીઓએ આ ખીરનું સેવન કરવું જોઇએ. અસ્થમાના દર્દી શરદ પૂનમની રાત્રે ખીરને ચાંદની રોશનીમાં રાખો અને સવારે ચાર વાગ્યાની આસપાસ તેનું સેવન કરી લો.
હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક
આ ખીરનું સેવન હૃદયના દર્દીઓ માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. હૃદયના દર્દીઓએ શરદ પૂનમની રાત્રે ચાંદની રોશનીમાં ખીર મુકીને સવારે તેનું સેવન કરી લેવું જોઇએ. હૃદયના દર્દીઓ માટે આ ખીર ઘણી ફાયદાકારક હોય છે..
સ્કિન સંબંધિત સમસ્યા દૂર થાય છે
શરદ પૂનમની રાત્રે ખીર ચાંદના પ્રકાશમાં રાખીને તે ખીરનું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે. સ્કિન સંબંધિત બીમારીઓના દર્દી માટે આ ખીરનું સેવન ઘણું ફાયદાકારક હોય છે. કોઇ પણ બીમારીના દર્દી હોય પરંતુ કોઇ પણ નુસ્ખો અજમાવતા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.