Get The App

આ ઘરગથ્થુ ઉપચારોથી 7 દિવસમાં છૂટી જશે તમાકૂ, ગુટખાનું વ્યસન

Updated: Apr 9th, 2019

GS TEAM


Google News
Google News
આ ઘરગથ્થુ ઉપચારોથી 7 દિવસમાં છૂટી જશે તમાકૂ, ગુટખાનું વ્યસન 1 - image

અમદાવાદ, 9 એપ્રિલ 2019, મંગળવાર

સ્મોકિંગ અને તમાકુ જેવા પદાર્થોના વ્યસનથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. લોકોને આવા વ્યસન છોડવા માટે જાગૃતિ અભિયાન પણ કરવામાં આવે છે. તમાકુ જેવા વ્યસન શરીરને અંદરથી ખરાબ કરે છે અને ગંભીર બીમારીઓ પણ થાય છે. આવી વસ્તુઓના કારણે શરીરમાં ઝેરી તત્વો ભળી જાય છે.

એક રીસર્ચ અનુસાર ભારતીય લોકો ધૂમ્રપાન કરવામાં સૌથી આગળ છે. દિવસભરમાં એક વ્યક્તિ અંદાજે 8.2 સિગારેટ ફૂંકી જાય છે. આ સ્થિતિ તેની આસપાસના લોકો માટે પણ ઘાતક સાબિત થાય છે.

તમાકુનું સેવન કરવાથી તેમાં રહેલું ઝેરી નિકોટીન મોં વાટે ગળા, શ્વાસ નળી અને ફેંફસા સુધી પહોંચી જાય છે. તેના કારણે હૃદય રોગ, ફેંફસાની બીમારી, અલ્સર, અનિંદ્રા જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ આ વ્યસન જેને હોય છે તેઓ તેનાથી ઝડપથી છૂટકારો મેળવી શકતા નથી. જો કે આયુર્વેદમાં એવી ઔષધિઓ છે જે તમાકૂની તલબને કાબૂમાં કરી અને તેથી મુક્તિ અપાવી શકે છે.

તજ

તમાકૂની લત છોડવામાં તજ મદદરૂપ સાબિત થાય છે. જ્યારે પણ તમાકૂની તલબ લાગે ત્યારે તજનો એક ટુકડો ખાવો જોઈએ. થોડીવાર તેને ચુસવું અને થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે તમારી તલબ ઘટવા લાગી છે.

અજમો

ધૂમ્રપાન કરવાની આદત છોડવી હોય તો અજમો પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. અજમો ખાવાથી ધૂમ્રપાન કરવાની કુટેવ દૂર થઈ જાય છે. શરૂઆતમાં અજમા ખાવામાં સમસ્યા થઈ શકે છે પરંતુ તેની આદત થઈ જવાથી ધૂમ્રપાનની ટેવ છુટી જશે.

તુલસી

તુલસીના પાન ચાવવાથી પણ તમાકૂની તલબ દૂર થાય છે. નિયમિત રીતે તુલસીના 2થી 3 પાન સવારે અને સાંજે ખાવા જોઈએ. ખાલી પેટ તુલસી ખાવાથી ધૂમ્રપાનની તલબ છૂટી જાય છે.

મધ

મધમાં એંજાઈમ અને પ્રોટીન હોય છે જે સરળતાથી સ્મોકિંગની આદત છોડાવી શકે છે. જો કે તેના માટે શુદ્ધ મધનો જ પ્રયોગ કરવો. તેના સેવનથી શરીરના ઝેરી તત્વો પણ દૂર થાય છે. 

ત્રિફળા

ત્રિફળાનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે. તેનાથી સ્મોકિંગની આદત દૂર થાય છે. તેના માટે રોજ રાત્રે એક ચમચી ત્રિફળા પાવડરને પાણી સાથએ પી લેવું. આ ઉપાયથી શરીરને અને મનને પણ શાંતિ મળશે. 

Tags :