ઓફિસમાં કામ કરતી વખતે મગજને રિચાર્જ કરવા કરો આ એક્સરસાઈઝ
અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર 2018 શનિવાર
ઑફિસમાં કામ કરતી વખતે જો મગજ થાકી જાય તો મગજની એક્સરસાઈઝ કરવા કે બ્રેક લેવા કરતા વધારે ફાયદો કામની વચ્ચે એક્સરસાઈઝ કરવાથી થાય છે. આનાથી કામમાં મન લાગે છે અને મગજ પણ રિચાર્જ થઈને સક્રિય બની જાય છે. આપણી સ્મરણશક્તિ આપણા મગજમાં બધા કામ, પ્રોજેક્ટ, ગોલ અને નીતિઓને અપડેટ કરતી રહે છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કામના સમયે સામાન્ય એક્સરસાઈઝ કોઈપણ પ્રકારની જ્ઞાનવર્ધક એક્સરસાઈઝથી વધારે લાભદાયી હોય છે. શોધોમાં સામે આવ્યું છે કે એકોબિક એક્સરસાઈઝ કરવાથી વ્યક્તિના કામ કરવા, પ્લાન કરવા, ધ્યાન આપવા અને યાદ રાખવાની પ્રક્રિયા પર વધારે અસર થાય છે.
સંશોધકોએ કહ્યું કે કામ કરતી વખતે બ્રેક લઈને એક્સરસાઈઝ કરવાથી મગજ વધારે સક્રિય રહે છે કારણ કે આમાં ધ્યાન લગાવવાની જરૂર નથી પડતી. એટલે સુધી કે 30 મિનિટ સાઈકલ ચલાવવાથી પણ મગજ પર સકારાત્મક અસર પડે છે. દરેકનું મગજ થાકી જતું હોય છે. ખાસ કરીને લાંબો વખત કામ કરવાથી મગજની ક્ષમતા ઘટવા લાગે છે.
જો મગજને આરામ ના આપવામાં આવે તો માણસની કામ કરવાની ક્ષમતા ઘટે છે. આ અભ્યાસ 28 પુરુષો કરવામાં આવ્યો. આમાં કામની વચ્ચે કેટલાક લોકોને સાઇકલિંગ જેવી એક્સરસાઈઝ કરી તો કેટલાકે ટેસ્ટ આપવા જેવી મગજની એક્સરસાઈઝ કરી. પરિણામોમાં જાણવા મળ્યું કે એમના પર એરોબિક એક્સરસાઈઝની અસર વધારે થઈ હતી. આનાથી એમની કામ કરવાની ક્ષમતા વધી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી.
આ એક્સરસાઈઝની મગજ પર ઝડપથી અસર થાય છે અને મગજ સક્રિય થઈ જાય છે. કામની વચ્ચે ફિઝિકલ એક્સરસાઈઝ કરવાથી શરીરના થાકની સાથે સાથે મગજનો થાક પણ ઉતરી જાય છે. જો કે સંશોધકોએ એવું પણ કહ્યું કે આ વખતે વધારે એક્સરસાઈઝ ના કરવી. વધારે એક્સરસાઈઝ કરવાથી ઘણીવાર શરીરમાં થતાં દુખાવા તરફ ધ્યાન નથી જતુ. કામની વચ્ચે એટલી જ એક્સરસાઈઝ કરવી જેથી તમને રિલેક્સ ફીલ થાય.