માત્ર પપૈયુ જ નહીં તેના બીજ પણ છે આરોગ્ય માટે લાભદાયી, જાણો તેને ખાવાના ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 12 ઓગસ્ટ 2023 શનિવાર
પપૈયાના બીજ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આને ખાવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે.
પપૈયાના બીજના ફાયદા
પપૈયુ ખાતી વખતે ઘણી વખત લોકો તેના બીજને ફેંકી દે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પપૈયાના બીજ પણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
પપૈયાના બીજમાં પૈપિન એન્જાઈમ હોય છે, જે પાચનમાં મદદ કરે છે. ભોજન જમ્યા બાદ આ બીજને ખાવાથી પ્રોટીનને તોડવા અને પાચનમાં સુધારો કરવા, સોજો, કબજિયાત અને અપચા જેવા લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.
લિવર કરે ડિટોક્સિફાઈ
પપૈયાના બીજ લિવર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેમાં ઘણા એવા કમ્પાઉન્ડ્સ હોય છે જે લિવરને ડિટોક્સિફાઈ કરવા અને ડેમેજથી બચાવવામાં મદદ કરે છે.
એન્ટીબેક્ટેરિયલ પોપર્ટી
પપૈયાના બીજમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘણા પ્રકારના ઈન્ફેક્શન સામે લડવામાં શરીરની મદદ કરે છે. આ બીજને પીસીને તમે આને સલાડની ઉપર નાખીને ખાઈ શકો છો.
એન્ટી ઈન્ફલેમેટરી ગુણ
પપૈયાના બીજનું સેવન કરવાથી શરીરમાં સોજો ઓછો થાય છે. તેના બીજને ખાવાથી અર્થરાઈટિસ અને હાર્ટ ડિસીઝની સમસ્યામાં છુટકારો મેળવી શકાય છે.
ઈમ્યુન સિસ્ટમ સુધારે છે
પપૈયાના બીજ એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. દરરોજ પપૈયાના બીજ ખાવા તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
સ્કિન અને હેર હેલ્થ
પપૈયાના બીજનું સેવન કરવુ તમારા વાળ અને સ્કિન માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પપૈયાના બીજ એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે તમારી સ્કિન અને વાળના ગ્રોથ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે
પપૈયાના બીજમાં ફેનોલિક જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ હાજર હોવાના કારણે આ ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને હાર્ટ ડિસીઝના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ બીજ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવા અને હેલ્ધી બ્લડ પ્રેશરને મેન્ટેઈન રાખવામાં મદદ કરી શકે છે.