પરણેલા લોકોની યાદશક્તિ ઉંમર સાથે વધે છે, ઘટે છે માનસિક બીમારીનું જોખમ
અમદાવાદ, તા. 10 નવેમ્બર 2019 રવિવાર
મોટાભાગના લોકો રિયલ લાઇફમાં કે મજાકમાં લગ્ન કરવાના માઇનસ પોઇન્ટ ગણાવતા હોય છે. પરંતુ ખરેખર તો કરવાથી માણસની સ્મરણ શક્તિમાં વધારો થાય છે. એટલું જ નહીં માનસિક બીમારી થવાની સંભાવના પણ ઘટી જાય છે. થોડા વખત પહેલા થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પરણેલા લોકોમાં ડિમેન્શિયનું જોખમ બહુ ઓછું રહે છે.
ડિમેન્શિયા એક પ્રકારની માનસિક બીમારી છે જેમાં ઉંમર વધે તેમ માણસની સ્મરણશક્તિ ઘટવા લાગે છે. આ અભ્યાસમાં કહેવાયું છે કે ડાઇવોર્સ લીધેલા લોકોને માનસિક બીમારીનું જોખમ વધારે હોય છે. એથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે ડાઇવોર્સ લીધેલા પુરુષોમાં માનસિક બીમારીનું પ્રમાણ છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ કરતાં વધારે હોય છે.
ભારતમાં લગ્ન ન કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે પરંતુ અમેરિકા અને બીજા દેશોમાં આ આંકડો વધારે હોવાથી ત્યાં આ સંશોધન લોકોને ચોંકાવનારા અને મહત્વપૂર્ણ છે. આ શોધની માહિતી The Journals of Gerontologyમાં પ્રકાશિત થઇ હતી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
2000થી 2014 વચ્ચેના હેલ્થ અને રિટાયરમેન્ટના આંકડાના વિશ્લેષણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ માટે 52 કે તેથી મોટી ઉંમરના 15,000 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. દર બે વર્ષના અંતરે આ લોકોના મગજના કામ કરવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો.
આ રિસર્ચ માટે લોકો ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા - કુવારા, પરણેલા, ડિવોર્સી કે વિધવા. આ બધા લોકોમાં કુવારા લોકોમાં ડિમેન્શિયા બીમારીનું જોખમ સૌથી વધારે દેખાયું. તેથી જો: તમે પરણેલા છો તો આ વાત તમારી મેમરી માટે બહુ સારી વાત છે.