મલેરિયાની દવા કદી જાતે ના લેશો, નહીં તો...
મલેરિયા એક એવી બીમારી છે જેની સમયસર સારવાર ના થાય તો તે દર્દીનો જીવ લઇ શકે છે.
આ બીમારી માદા એનોફિલીઝ મચ્છરોના કરડવાથી થાય છે. આ એક પૈરાસાઈટ રોગ છે કારણ કે તે એનોફેલીઝ મચ્છર પ્લાસમોડિયમ નામના પૈરાસાઈટ શરીરમાં નાખે છે. આ મચ્છર માણસને કરડે ત્યારે આ પૈરાસાઈટ લોહીમાં ભળીને રેડ સેલ્સને નષ્ટ કરી દે છે. જો તમને ખબર પડે કે તમને મેલેરિયા થયો છે તો ભૂલથી પણ જાતે જ દવાઓ ના લેશો, એ હાનિકારક સાબિત થઇ શકે છે.
પેનકિલરના વઘારે લેવાથી છાતીમાં બળતરા, પેટમાં દુખાવો અને ઉલટી જેવી તકલીફો થઈ શકે છે. જો સગર્ભા સ્ત્રીને મેલેરિયા થાય તો તેનો ચેપ બાળક સુધી પહોંચી શકે છે. તેથી સગર્ભા સ્ત્રીઓએ તબીબી સારવાર અવશ્ય લેવી જોઈએ. ભારતમાં 1.31 લાખ લોકોમાં મેલેરિયા જોવા મળ્યો જેમાંથી 23,900 લોકો મૃત્યુ પામ્યાં. આખી દુનિયાની વાત કરીએ તો વર્ષ 2017માં મેલેરિયાના કુલ કિસ્સાઓમાં 80 ટકા દર્દીઓ ભારતમાં હતા. જો કે 2016ની સરખામણીએ2017માં મેલેરિયાના દર્દીઓની સંખ્યા ઘટી હતી.
બચવા માટે શું કરવું
- તમારા ઘરની આસપાસ વરસાદી પાણી ભેગુ ના થવા દો.
- કૂલરનું પાણી અઠવાડિયે એકવાર જરૂર બદલો.
- મચ્છરથી બચવા માટે મચ્છરદાનીમાં સૂવો.
- મચ્છર મારવાની દવા છંટાવો.