ડાયાબિટીસને કન્ટ્રોલ કરવું છે, તો આ રીતે કરો કારેલાનું સેવન, લેવલમાં આવી જશે સુગર
શુગરના દર્દીએ વધુ તેલ અને મસાલેદાર કારેલા નુકસાનકારક છે
કારેલાના નાના- નાના ટુકડા કરી લીંબુ નાખીને સલાડ જેમ ખાવા જોઈએ
Image Freepic |
તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર
આજકાલ બેઠાડા જીવનના કારણે લોકોને સામાન્ય રીતે ડાયાબિટીસ (Diabetes) આવી જાય છે. તેના માટે દરેક લોકોએ સાવધાન રહી ખાવા-પીવા બાબતે ગંભીર રહેવુ જરુરી છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આમ તો બજારમાં ઘણી દવા ઉપલબ્ધ છે. પરંતુ તે દવા ઘણાને માફક નથી આવતી તો કેટલાકને થોડા સમય બાદ ફરી સુગર વધી જવાની સમસ્યા બનતી હોય છે.
સુગર (Sugar)ના દર્દીએ વધુ તેલ અને મસાલેદાર કારેલા નુકસાનકારક છે
ડાયાબિટીસ (Diabetes) માટે શરીર માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. એવુ કહેવાય છે કે કારેલા (bitter gourd) ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ કહેવામા આવે છે. પરંતુ કારેલા (karela) ખાવાની સાચી પદ્ધતિ જાણવી જરૂરી છે. શુગરના પેસેન્ટ્સને વધુ તેલ અને મસાલેદાર કારેલા નુકસાનકારક છે.
કારેલાના નાના- નાના ટુકડા કરી લીંબુ નાખીને સલાડ જેમ ખાવા જોઈએ
પરંપરાગત રીતે તૈયાર કરેલા કારેલાને ખાવાથી બ્લડસુગર કન્ટ્રોલમાં આવી શકે છે. કારેલાના શાકને તળીને બનાવવા કરતાં તેની જગ્યાએ બાફીને બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કારેલાના નાના- નાના ટુકડા કરી લીંબુ નાખીને સલાડ જેમ ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થશે.
ડાયાબિટીસ માટે કારેલાનો સુપ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે
આ ઉપરાંત શુગરના દર્દીઓ માટે કારેલાનો સુપ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કારેલાની ચીફ્સ કરી તેને તેલમાં તળીને ખાવાથી દુર રહેવુ જોઈએ.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.