Get The App

આખરે શું છે રેડિયેશન થેરાપી? જે કેન્સરના દર્દીઓની સારવારમાં લાવી શકે છે જોરદાર પરિવર્તન

Updated: Mar 28th, 2023

GS TEAM


Google News
Google News
આખરે શું છે રેડિયેશન થેરાપી? જે કેન્સરના દર્દીઓની સારવારમાં લાવી શકે છે જોરદાર પરિવર્તન 1 - image


નવી દિલ્હી, તા. 28 માર્ચ 2023, મંગળવાર

કેન્સરની સારવાર માટે અનેક પ્રકારની થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે રેડિયેશન થેરાપી શું છે તેના વિશે જાણીશું. રેડિયેશન થેરાપીનો ઉપયોગ કેન્સરના દર્દીઓ પર કરવામાં આવે છે. આ થેરાપી દ્વારા ડૉક્ટર  દર્દીની અંદર વધતા કેન્સરના કોષોને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. આ સાથે જ કેન્સરને શરીરના અન્ય ભાગોમાં ફેલાતા અટકાવવામાં આવે છે.

રેડિયેશન થેરાપીને રેડિયોથેરાપી પણ કહેવામાં આવે છે. કેન્સરની સારવાર માટે આ થેરાપીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેન્સરની સારવાર ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. તેથી કેન્સરના દર્દીઓ અંદરથી જેટલી મજબૂતી સાતે લડશે તેટલી જલ્દી આ રોગ તેમનાથી દૂર ભાગશે. ચાલો જાણીએ કે કેન્સરના દર્દીઓને રેડિયેશન થેરાપી કેવી રીતે આપવામાં આવે છે.

શું કેન્સરના દર્દીઓને રેડિયેશન થેરાપી આપવી જરૂરી છે?

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેન્સરની સારવાર માટે રેડિયેશન થેરાપીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલું જ નહીં રેડિયેશન થેરાપીને કેન્સરનો ઈલાજ કરવાનો સરળ રસ્તો માનવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં સારવાર સુધારવા માટે કિમોથેરાપી પછી રેડિયેશન થેરાપી આપવામાં આવે છે. કેન્સરની સારવારમાં પણ રેડિયેશન થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ રોગ ફરીથી શરીરમાં પરત ન આવે.

રેડિયેશન થેરાપી કેન્સરના દર્દીઓની સારવારની દુનિયાને બદલી નાખશે

હા, એ વાત સાચી છે કે જો કોઈ વ્યક્તિને યોગ્ય સમયે કેન્સરનું નિદાન થઈ જાય તો તેને રેડિયેશન થેરાપી દ્વારા પણ ઠીક કરી શકાય છે. અને આપણે કહી શકીએ કે આ થેરાપી દર્દીની દુનિયા બદલી નાંખશે. કારણ કે રેડિયેશન થેરાપીમાં કેન્સરના કોષો અથવા ગાંઠોને ફેલાતા અટકાવવામાં આવે છે. આના દ્વારા, કેન્સરના કોષોને ધીમે ધીમે મારી નાખવામાં આવે છે જેથી તે શરીરના અન્ય ભાગોમાં ઝડપથી ન ફેલાય. જો કેન્સર ગાંઠનું સ્વરૂપ

 લઈ ચૂક્યું તો રેડિયેશન થેરાપી દ્વારા તેને સંકોચવાનું કામ કરવામાં આવે છે. ત્યારે રેડિયેશન થેરાપીના હાઈ ડોઝનો ઉપયોગ કરવામાં આવે છે. કેન્સરની અન્ય થેરાપીમાં કેન્સરના કોષોને મારી નાખતી વખતે અન્ય કોષો પણ મૃત્યુ પામે છેપરંતુ રેડિયોથેરાપી દરમિયાન ફક્ત કેન્સરના કોષો અને ડીએનએ મૃત્યુ પામે છે. આના કારણે કેન્સરના કોષો ફેલાતા નથી. સૌથી સારી વાત એ છે કે રેડિયોથેરાપી કેન્સરના કોષોને તરત જ નથી મારતી પરંતુ ઉપચારના સપ્તાહ અને મહિના પછી કેન્સરના સેલ્સ મૃત્યુ પામે છે.

કેટલા પ્રકારની હોય છે રેડિયેશન થેરાપી?

એક્સટર્નલ રેડિયોથેરાપી

એક્સટર્નલ રેડિયોથેરાપી ખૂબ જ સામાન્ય પ્રકારની હોય છે. આમાં બીન રેડિયેશન બીન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે છે.

બ્રેકી થેરાપી

આ થેરાપીમાં કેન્સરના દર્દીઓની સારવાર રેડિયોએક્ટિવ મેટલ દ્વારા કરવામાં આવે છ. આ થેરાપીને બ્રેકીથેરાપી કહેવામાં આવે છે.

રેડિયોઆઈસોટોપ થેરાપી

રેડિયોઆઈસોટોપ થેરાપીમાં કેન્સરના દર્દીઓના લોહીમાં કિરણોત્સર્ગી પ્રવાહી ઈન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવે છે, જે કેન્સરના કોષોને મારી નાખે છે અને તેમને અન્ય અવયવો અથવા શરીરના ભાગોમાં ફેલાતા અટકાવે છે.

રેડિયેશન થેરાપીની આડ અસરો

કેન્સરની તમામ થેરાપીની કંઈક ને કંઈક આડઅસર હોય છે. રેડિયેશન થેરાપીની પણ કેટલીક આડઅસરો છે .તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેન્સરની સારવાર માટે રેડિયેશન થેરાપીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે જ તેને જીવન રક્ષક ઉપચાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેની કેટલીક આડઅસર પણ છે. જે સારવાર બાદ દર્દીના શરીર પર દેખાય છે. જેમ કે ભૂખ ન લાગવી, ઝડપથી થાક લાગવો, ચામડી લાલ થવી, ખંજવાળ તેમજ મોઢામાં ફોલ્લાઓ.

રેડિયેશન થેરાપીની કિંમત

રેડિયેશન થેરાપીની કિંમત લગભગ 1.5 લાખથી 3 લાખ સુધીની છે. આ થેરાપી કોઈપણ દર્દીને ત્યારે આપવામાં આવે છે જ્યારે દર્દીની સ્થિતિ સારી હોય. દર્દીના શરીરમાં કેન્સર કેટલું ફેલાઈ ગયું છે. તે જાણ્યા બાજ જ આ થેરાપી આપવામાં આવે છે.

Tags :