Get The App

સાકરના સેવનથી આ બધી સમસ્યાઓથી છૂટકારો મળશે

- સાકર ખાંડ કરતા વધારે હેલ્ધી અને પોષક તત્ત્વથી ભરપૂર છે

Updated: Jan 25th, 2018

GS TEAM

Google News
Google News
સાકરના સેવનથી આ બધી સમસ્યાઓથી છૂટકારો મળશે 1 - image
અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2018, ગુરુવાર 
 
સાકર સ્વાભાવિક રીતે મિઠાસનું બીજું નામ છે. કોઇ પણ મીઠી વાત અથવા સૌમ્ય વ્યક્તિને સાકરનું વિશેષણ આપવામાં આવે છે.. આ ઉપરાંત ઘણા લોકો તેને માઉથ ફેશનર તરીકે પણ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે સાકર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. જાણો, કેવી રીતે... 
 
- સ્વસ્થ રહેવા માટે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરો, સાકરમાં ખાંડ કરતા વધારે હેલ્ધી અને પોષક તત્ત્વ રહેલા હોય છે, તેના સેવનથી શરીરમાં શુગરની સમસ્યા થતી નથી. 
 
- જ્યારે પણ મોસમ બદલાય છે લોકોને શરદી-ખાંસીની સમસ્યા થતી હોય છે, એવામાં તમે સાકરના સેવનથી આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો, નિયમિતપણે ગરમ પાણી સાથે દિવસમાં બે વાર એક ચમચી સાકરનું સેવન કરવાથી શરદી-ખાંસીની સમસ્યામાં આરામ મળે છે.
 
- શ્વાસમાં આવતી દૂર્ગંધ દૂર કરવામાં સાકરનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે, ભોજન કર્યા બાદ સાકરનું સેવન કરવાથી મોંમાં રહેલાં બેક્ટેરિયા નાશ પામે છે જેનાથી શ્વાસમાંથી આવતી દૂર્ગંધ દૂર થઇ જાય છે. 
Tags :