Get The App

દહીંની સાથે ભૂલથી પણ ન ખાશો આ 6 વસ્તુઓ, નહિતર તબિયત બગડશે!

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
Foods to avoid with Curd


Foods to avoid with Curd: દહીં ભારતીય ભોજનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. દહીંમાં પ્રોબાયોટિક્સ, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને શરીરને શક્તિ આપે છે, પરંતુ આયુર્વેદમાં દહીં ખાવાના કેટલાક નિયમો છે. 

આયુર્વેદમાં દહીંને પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે શરીરને ઠંડક આપે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે અને પેટને હલકું રાખે છે. ચરક સંહિતા જેવા આયુર્વેદના જૂના ગ્રંથો અનુસાર, દહીં યોગ્ય રીતે ખાવું મહત્ત્વપૂર્ણ છે. ખોટી વસ્તુઓ સાથે અથવા ખોટા સમયે દહીં ખાવાથી પેટની સમસ્યાઓ, સ્કિનની સમસ્યાઓ અને મોટી બીમારીઓ પણ થઈ શકે છે. જાણીએ કે કઈ વસ્તુઓ સાથે દહીં ન ખાવું જોઈએ?

1. દૂધ અથવા દૂધથી બનેલી

દહીં દૂધ, પનીર અથવા અન્ય દૂધથી બનેલી વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ. આ મિશ્રણ પેટમાં ભારેપણું લાવે છે અને પાચન ધીમું કરે છે. તે ગેસ, પેટનું ફૂલવું અથવા અપચાનું કારણ બની શકે છે. આયુર્વેદ આને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. 

2. ખાટા ફળો

દહીં સાથે લીંબુ, સંતરા, અનાનસ જેવા ખાટા ફળો ખાવાનું ટાળો. આ બંને ખાટા હોય છે, જે પેટમાં એસિડિટી વધારી શકે છે. આનાથી પેટમાં બળતરા, ફોલ્લીઓ અથવા સ્કિનની એલર્જી થઈ શકે છે.

3. ગરમ ખોરાક

દહીં ગરમ ​​ખોરાક, જેમ કે તળેલા ખોરાક, મસાલેદાર ખોરાક અથવા ગરમ ચા સાથે ન ખાવું જોઈએ. દહીંની પ્રકૃતિ ઠંડી હોય છે આથી તેને ગરમ પડે એવા ખોરાક સાથે ન ખાવું જોઈએ. જેના કારણે પાચન સમસ્યાઓ અને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

4. અળદની દાળ

દહીં સાથે અડદની દાળ અથવા અન્ય ભારે કઠોળ ખાવાથી પેટમાં ગેસ અને ભારેપણું થઈ શકે છે. તે પાચનક્રિયાને મુશ્કેલ બનાવે છે.

આ પણ વાંચો: વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે આ યોગાસન, રોજ કરશો તો બોડી રહેશે ફિટ

5. દહીં સાથે ડુંગળી ન ખાઓ

ઘણીવાર આપણે દહીંમાં ડુંગળી ભેળવીને રાયતુ બનાવીએ છીએ જે આયુર્વેદ અનુસાર સંપૂર્ણપણે ખોટું છે. આનું કારણ એ છે કે દહીં સ્વભાવે ઠંડુ હોય છે, જ્યારે ડુંગળી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ગરમ અને ઠંડા ખોરાકનું આ મિશ્રણ સ્કિનની એલર્જી જેમ કે ફોલ્લીઓ, ખરજવું, સોરાયસિસ અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આ બે ખોરાક એકસાથે ખાવાનું ટાળો.

6. કેરી તેમજ કેળા સાથે 

દહીં, કેરી અને કેળા બંને ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે પરંતુ કેરી અને કેળા દહીં સાથે ન ખાવા જોઈએ. જો તેને એક સાથે ખાવામાં આવે તો ગેસ અને એસિડિટી થઇ શકે છે. પેટ પણ ફૂલી જશે. તેનું કારણ એ છે કે કેરી એક મીઠી અને ગરમ આહાર છે અને દહીં એક ઠંડુ ખોરાક છે. તેથી, બંને વિરોધી ખોરાક છે.

દહીંની સાથે ભૂલથી પણ ન ખાશો આ 6 વસ્તુઓ, નહિતર તબિયત બગડશે! 2 - image

Tags :