Get The App

ખાલી પેટ મગફળી ખાવાથી દૂર થાય છે આ 4 બીમારીઓ

Updated: Jun 19th, 2019

GS TEAM


Google News
Google News
ખાલી પેટ મગફળી ખાવાથી દૂર થાય છે આ 4 બીમારીઓ 1 - image


અમદાવાદ, 19 જૂન 2019, બુધવાર

મગફળીનો ઉપયોગ ઘરમાં તો થતો જ હોય છે પરંતુ શું તમે જાણો છો કે સવારના સમયે ખાલી પેટ તેનું સેવન કરવાથી કયા કયા લાભ થાય છે ? નથી જાણતા તો આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ મગફળી ખાવાથી 4 સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ શકે છે. 

સ્થૂળતા

રોજ સવારે ખાલી પેટ મગફળી ખાવાથી ચરબી ઝડપથી ઘટે છે. મગફળીમાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે જે ભૂખને રોકી અને પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેથી વારંવાર ખોરાક લેવો પડતો નથી અને શરીરમાંથી ચરબી ઘટે છે. 

હૃદય માટે લાભકારી

મગફળી હાર્ટ માટે પણ જરૂરી છે. મગફળીનું સેવન કરવાથી હાર્ટએટેકનું જોખમ 50 ટકા ઘટી જાય છે.

બીપી

મગફળીમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રક્તસંચાર યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે અને બ્લડ પ્રેશર બરાબર રહે છે. 

કબજિયાત

મગફળીનું સેવન કરવાથી કબજિયાત તેમજ કોલન કેન્સરથી બચી શકાય છે. આ સમસ્યા માટે રોજ સવારે 4થી 5 મગફળી ખાવી અને ખૂબ પાણી પીવું. 


Tags :