Get The App

તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે કે નુકસાન, જાણો હકીકત

Updated: Sep 5th, 2023

GS TEAM


Google News
Google News
તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે કે નુકસાન, જાણો હકીકત 1 - image


                                                              Image Source: Twitter

અમદાવાદ, તા. 05 સપ્ટેમ્બર 2023 મંગળવાર

તમે ઘણા લોકોને તાંબાના લોટા કે ગ્લાસમાં પાણી પીતા જોયા હશે, ખાસ કરીને આપણા વડીલો ઘણી વખત આ મેટલના પોટમાં પાણી રાખવાની સલાહ આપે છે. ભારતીય પરંપરામાં તાંબાના વાસણનું ખૂબ મહત્વ છે, સદીઓથી લોકો તેના દ્વારા પાણી ગ્રહણ કરતા આવી રહ્યા છે, જોકે બદલાતા સમયની સાથે તેનું ચલણ પણ ઓછુ થતુ ગયુ અને આજે મોટાભાગના લોકો સ્ટીલ, પ્લાસ્ટિક અને કાચના ગ્લાસમાં પાણી પી રહ્યા છે. તમે પણ ઘણી વખત સાંભળ્યુ હશે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી આરોગ્યને ઘણા પ્રકારના લાભ થાય છે.

તાંબાના વાસણમાં પાણી પીવાથી શું થશે

હેલ્થ એક્સપર્ટ અનુસાર તાંબાના વાસણમાં પાણી સ્ટોર કરીને રાખી દેવુ જોઈએ અને બાદમાં પીવાથી તેના ફાયદા થશે. કોપર એક મહત્વનું પોષક તત્વ છે જે આપણા શરીર માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે જે અલગ-અલગ બોડી ફંક્શનમાં મદદ કરે છે. 

બેક્ટેરિયાનું દુશ્મન છે આ મેટલ

આ મેટર હૃદય અને બ્રેઈનની હેલ્થને શ્રેષ્ઠ રાખવામાં મદદ કરે છે. કોપરના વાસણમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે. જ્યારે તમે આ મેટલના વાસણમાં 48 કલાકથી વધુ સમય સુધી પાણી સ્ટોર કરીને રાખો છો તો શરીરને નુકસાન પહોંચાડનાર બેક્ટેરિયાનો ખાત્મો થઈ જાય છે.

પાચનશક્તિ મજબૂત થાય છે

કોપરના વાસણમાં રાખેલુ પાણી પીવાથી આપણી પાચનશક્તિ સારી થઈ જાય છે. આ સિવાય તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તમે ઘણી વાર સાંભળ્યુ હશે કે અલ્કલાઈન વોટર આરોગ્ય માટે સારુ હોય છે. જો તમે તાંબાના ગ્લાસમાં પાણી પીશો તો આ હેતુ પૂરો થઈ જશે, સાથે જ શરીરને ઠંડક મળશે. જ્યારે આપણે કોઈ ભોજન ખાઈએ છીએ જે આ પાચન થયા બાદ શરીરમાંથી ટોક્સિંસ અને હીટ કાઢે છે. તાંબાનું અલ્કલાઈન વોટર બોડીના એસિડને બેલેન્સ કરે છે. ખાસ કરીને ગરમીના મોસમમાં આ મેટલમાં રાખેલુ પાણી જરૂર પીવુ જોઈએ. 

ખાલી પેટ તાંબાના વાસણવાળું પાણી પીવો

આમ તો તાંબાના વાસણવાળુ પાણી ક્યારેય પણ જરૂરિયાતના હિસાબે પી શકો છો પરંતુ જો તમે સવારે ખાલી પેટ તાંબાના પાણીનું સેવન કરશો તો બોડીને મેક્સિમમ ફાયદો મળશે. જોકે એ વાતનો ખ્યાલ રાખો કે કોપર એક ટ્રેસ મિનરલ છે જેની જરૂર શરીરને ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. જો તમે હદથી વધુ આ પાણીનું સેવન કરશો તો બોડીમાં કોપર ટોક્સિસિટી વધી શકે છે, જેના કારણે પેટનો દુખાવો, ઝાડા અને ઉલટીની પરેશાની થઈ શકે છે.

Tags :