Get The App

ફ્લાવર ખાવાથી ઘટે છે વજન, જાણો 6 મહત્વના ફાયદા વિશે

Updated: Feb 25th, 2020

GS TEAM


Google News
Google News
ફ્લાવર ખાવાથી ઘટે છે વજન, જાણો 6 મહત્વના ફાયદા વિશે 1 - image


નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2020, મંગળવાર

શાકભાજીમાં સુપરફૂડ કહી શકાય તેવું ફ્લાવર સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. ક્રૂસિફેરસ પરિવારમાંથી આવતું આ શાક કેન્સર જેવા ગંભીર રોગથી પણ બચાવે ચે. સામાન્ય રીતે ફ્લાવર ખાવું મોટાભાગના લોકો પસંદ કરતા નથી. પરંતુ આજે તમને એવા લાભ વિશે અહીં જણાવીશું જેને જાણીને તમે ફ્લાવર ખાવાનું શરૂ કરી દેશો. 

ફ્લાવરમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીર માટે લાભકારી સાબિત થાય છે. લીલા શાકભાજીની યાદીમાં આવતું ફ્લાવર આ રીતે શરીરને લાભ કરે છે. 

1. ફ્લાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન અને એંટી ઓક્સીડેંટ્સ હોય છે જે શરીરને લાભ કરે છે. 100 ગ્રામ ફ્લાવરમાં વિટામિન સી 77 ટકા, વિટામિન કે 20 ટકા હોય છે. સાથે જ તેમાં લોહતત્વ, મેન્ગીશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફોલિક એસિડ હોય છે. 

2. ફ્લાવર અન્ય લીલા શાકના પ્રમાણમાં વજન ઘટાડવામાં વધારે મદદ કરે છે. 100 ગ્રામ ફ્લાવરમાં લગભગ 30 કેલેરી અને 3 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. 

3. ફ્લાવરમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનતંત્રને સારી રીતે એક્ટિવ રાખે છે. તેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. 

4. ફ્લાવરમાં એંટીઓક્સીડેંટ વધારે હોય છે. જે કેન્સર વધારતી કોશિકાઓને પ્રભાવિત કરે છે અને તેને વધતી અટકાવે છે. તેમાં રહેલા તત્વો ડીએનએને નુકસાનથી બચાવે છે અને સ્વસ્થ સેલને વધારે છે. 

5. ફ્લાવર નિયમિત ખાવાથી રક્ત સંચાર વધે છે. જેના કારણે હૃદય સ્વસ્થ્ય રહે છે. 

6. ફ્લાવરમાં ફોલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. તેથી તે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેનાથી ભ્રૂણનો વિકાસ યોગ્ય રીતે થાય છે. 


Tags :