Get The App

કેળા સાથે આ વસ્તુઓ ન ખાવી જોઇએ, નહીં તો પેટમાં થઇ જશે ગરબડ

Updated: Jun 30th, 2023

GS TEAM


Google News
Google News
કેળા સાથે આ વસ્તુઓ ન ખાવી જોઇએ, નહીં તો પેટમાં થઇ જશે ગરબડ 1 - image

Image Source: FreePik

નવી દિલ્હી,તા. 30 જૂન 2023, શુક્રવાર 

ડૉક્ટર્સ હંમેશા સારા સ્વાસ્થ્ય માટે કેળા ખાવાની ભલામણ કરે છે, પરંતુ તેમ કરતી વખતે કાળજી લેવી જોઈએ, નહીં તો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. કેળું ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ આયુર્વેદમાં કેળાની સાથે કેટલાક ફળ ખાવાની મનાઈ છે. વાસ્તવમાં દરેક ફળની અલગ-અલગ અસર હોય છે.

આ ભૂલો ક્યારેક શરીર પર ખરાબ અસર કરવાનું કામ કરે છે. જો તમે તેને ખોટી વસ્તુઓ સાથે સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

કેળાને દૂધ સાથે ક્યારેય ન ખાવું જોઈએ

મોટાભાગના લોકો નાસ્તામાં દૂધ અને કેળા ખાવાનું પસંદ કરે છે. કારણ કે તેઓ વિચારે છે કે તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને જલ્દી ભૂખ લાગશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે, કેળાને દૂધ સાથે ક્યારેય ન ખાવું જોઈએ. કારણ કે તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ગ્રેપફ્રૂટ, નારંગી અને લીંબુ વગેરે ખાટા ફળો સાથે પણ કેળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, આનાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે.

ઘણા લોકો દહીં સાથે કેળા ખાય છે. આમ કરવાથી બળતરા અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને કફની વિકૃતિઓ વધી શકે છે.

મધ સાથે પણ ન ખાવા કેળા

કેળાને મધ સાથે ક્યારેય ન ખાવું જોઈએ. કારણ કે, તેનાથી શરીરમાં ગરમી પેદા થઈ શકે છે અને પાચનક્રિયા પણ પ્રભાવિત થઈ શકે છે.

Tags :