શરીરમાં આયર્નનું પ્રમાણ ઘટવાથી થઈ શકે છે અનેક પ્રકારની સમસ્યાઓ, આટલી સાવધાની રાખવી જરુરી
વિશ્વની વસ્તીના 24.8 ટકા આયરનની ઉણપ થી પ્રભાવિત છે
Image Pixabay |
તા. 2 એપ્રિલ 2023, રવિવાર
આયર્ન આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે શરીરમાં હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. હિમોગ્લોબિન એ પ્રોટીન છે જે આપણા ફેફસાંમાંથી આપણા શરીરના પેશીઓમાં ઓક્સિજનનું પરિવહન કરે છે, જે રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. આ સિવાય થાક પણ ઓછો થાય છે. જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ લગભગ 1.62 બિલિયન લોકો, અથવા વિશ્વની વસ્તીના 24.8 ટકા આયરનની ઉણપ કે એનિમિયાની અસર હેઠળ છે.
આયરનની ઉણપના કારણે થાય છે ઘણી બીમારીઓ
શરીરમાં પુરતા પ્રમાણમાં હિમોગ્લોબિનના ન હોવાના કારણે પેશીઓ અને સ્નાયુઓમાં ઊર્જાનો અભાવ થતો હોય છે. હૃદયને શરીરની આસપાસ વધુ ઓક્સિજનયુક્ત રક્ત પહોંચાડવા માટે સખત મહેનત કરવી પડે છે. જેના કારણે વધુ થાક લાગતો હોય છે, તેના કારણે ચીડિયાપણું અને એકાગ્રતામાં મુશ્કેલી થઈ શકે છે.
આયરનની ઉણપના લક્ષણો
- - આળસ
- - શ્વાસ લેવામાં તકલીફ થવી
- - થાક
- - એનિમિયા
- - ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
આયર્નની ઉણપથી કેટલાક સામાન્ય લક્ષણોમાં જોવા મળે છે. જેમાં થાક, નબળાઇ, પીળી ત્વચા, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, માથાનો દુખાવો, હાથ-પગ ઠંડા પડવા તેમજ નબળી રોગપ્રતિકારક શક્તિનો સમાવેશ થાય છે.
આયરનની ઉણપનું કારણ
પુરુષ અને મહિલાઓ બંને આયર્નની ઉણપથી પીડિત હોઈ શકે છે. પુરુષો કરતા મહિલાઓમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે કારણ કે માસિક સ્રાવ દરમિયાન મહિલાઓ લોહી ગુમાવે છે. ગર્ભાવસ્થા અને પ્રસવ પણ આયરનની ઉણપનું કારણ બની શકે છે.
આયરનના સ્તરમાં આ રીતે થઈ શકે છે વધારો
શરીરમાં આયર્નના સ્તરમાં વધારો કરવા માટે આયરન સપ્લિમેન્ટ્સની ભલામણ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત આયરનથી ભરપૂર ખોરાક જેમ કે કઠોળ, દાળ, પાલક અને ફોર્ટિફાઇડ અનાજ પણ આયરનની ઉણપને રોકવામાં મદદ કરી શકે છે. વધુ પડતા આયરનનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે, તેથી કોઈપણ આયરન સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે. ક્રુસિફેરસ શાકભાજી, ડાર્ક ચોકલેટ અને કઠોળ પણ આયરનનુ પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે.