Get The App

જાણો... તજના છોડના મહત્વના ફાયદાઓ

Updated: Aug 29th, 2018

GS TEAM


Google News
Google News
જાણો... તજના છોડના મહત્વના ફાયદાઓ 1 - image

અમદાવાદ, તા. 29 ઓગસ્ટ 2018 બુધવાર

તજનો છોડ ઉગાડવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે ઘરની આસપાસ મચ્છર અને માખી નથી આવતા. તો બીજી તરફ ગાર્ડનમાં ફંગસ ઉગી જાય છે. તેવામાં જો તે જગ્યા પર તજનો પાવડર છાંટવામાં આવે તો ત્યાં ફંગસ જલ્દીથી દૂર થઈ જાય છે.

તજનો ઉપયોગ ભારતનાં લગભગ દરેક ઘરોમાં થાય છે. તેનો ખાવામાં ઉપયોગ કરવાથી જમવાનું ટેસ્ટી બને છે. તેનો ઉપયોગ ખાવામાં નિયમિત માત્રામાં કરવામાં આવે તો ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થઈ જાય છે. શું તમે જાણો છો કે ખાવામાં તજનો ઉપયોગ કર્યા સિવાય તેને તમે પોતાના ઘરના બગીચામાં લગાવો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. હકીકતમાં તજનો છોડ લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘરની આસપાસ મચ્છર નથી આવતા.

છોડવાની દવા તરીકે પણ તજનો ઉપયોગ કરી શકાય છે. જો છોડના પાન કોઈ રોગના કારણે સૂકાઈ ગયા હોય તો તેના પર તજનો પાવડર છાંટવો તેનાથી 4થી 5 દિવસમાં સુધારો જોવા મળશે.

તેમજ જો તમે ખાવામાં નિયમિત રીતે તજનો ઉપયોગ કરતા હોય તો હૃદયની બીમારીથી લઈને સાંધાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે. સાથે એવું માનવામાં આવે છે કે તજમાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વ હોય છે, જેના કારણે પેટ સંબંધી તમામ સમસ્યા દૂર થઈ જાય છે અને શરીરની અંદર એનર્જી વધે છે. જો કે, ડોક્ટરોની સલાહ પ્રમાણે યોગ્ય માત્રામાં તજનું સેવન કરવુ જોઈએ. 

Tags :