Calcium Foods: શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા આ 5 વસ્તુઓનું કરો સેવન
Image Source: Freepik
અમદાવાદ, તા. 03 જુલાઈ 2023 સોમવાર
કેલ્શિયમ આપણા હાડકા માટે ખૂબ જરૂરી છે. આ મિનરલની ઉણપથી ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે, જેમાં હાડકા તૂટવાનું જોખમ વધી જાય છે. હાડકા સિવાય આ લોહી, માંસપેશી અને ટિશ્યૂઝના પણ કામ આવે છે. તેથી બાળકોને કેલ્શિયમની ગોળી અલગથી ખવડાવવામાં આવે છે જેથી તેની ડેફિશિએન્સી ટાળી શકાય.
દૂધ-પનીર જેવા કેલ્શિયમ ફૂડ ન ખાવાથી તેનુ લેવલ ઘટી જાય છે. પરંતુ અમુક વસ્તુ ખાવાથી પણ આપણા હાડકાઓમાંથી કેલ્શિયમ જુદુ થવા લાગે છે. સ્ટડી અનુસાર વધુ નમકીન ફૂડ ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય છે. જેને પૂરી કરવા માટે હાડકાઓના કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આવે છે.
બદામ
જો તમારા હાડકામાં દુખાવો રહેતો હોય કે પછી તમે વધુ મીઠુ ખાતા હોય તો બદામ જરૂર ખાવ. 30 ગ્રામ બદામની અંદર 75 એમજી કેલ્શિયમ હોય છે.
અખરોટ
અખરોટ ખાવાથી મગજ તેજ કરવાની સાથે ઓસ્ટિયોપોરોસિસની બીમારીથી પણ બચી શકાય છે. જેમાં હાડકાઓની તાકાત ખતમ થઈ જાય છે અને તૂટવાનું જોખમ વધી જાય છે. 30 ગ્રામ અખરોટમાં 28 એમજી કેલ્શિયમ હોય છે.
હેજલનટ્સ
હેજલનટ્સ તમારા હાડકાઓને ઘણા તાકાતવર બનાવી શકે છે. માત્ર 30 ગ્રામ હેજલનટ્સથી 56 એમજી કેલ્શિયમ મળી જાય છે. આ ફૂડ કોલેસ્ટ્રોલ ઓછુ કરવાની સાથે હાઈ બ્લડ પ્રેશરથી પણ બચાવે છે.
બ્રાઝીલ નટ્સ
બ્રાઝીલ નટ્સમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન ઈ વગેરે પોષણ હોય છે. આ તમામ તત્વ ઓસ્ટિયોપોરોસિસની બીમારીથી બચાવવામાં મદદ કરે છે. 30 ગ્રામ બ્રાઝીલ નટ્સમાં 28 એમજી કેલ્શિયમ મળે છે.
તલ
તલ શરીરને ઘણા ફાયદા આપે છે. આ હૃદયની બીમારી, ડાયાબિટીસ અને આર્થરાઈટિસથી બચાવે છે. આને ખાઈને હાડકાઓમાંથી કેલ્શિયમ ગુમાવવાથી પણ રોકી શકાય છે. માત્ર 15 ગ્રામ તલમાં 6 એમજી કેલ્શિયમ હોય છે.