World Blood Donor Day: સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે રક્તદાન, જાણો તેના 5 ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 14 જૂન 2023 બુધવાર
સમગ્ર દુનિયામાં સારવાર દરમિયાન લોહીની ઉણપના કારણે દર વર્ષે લાખો લોકોના મોત નીપજે છે પરંતુ જ્યારે કોઈ માણસ લોહી કે પ્લાઝમા દાન કરે છે તો આ એક જીવન રક્ષક ભેટની જેમ લોકોના જીવ બચાવવાનું એક મોટુ કાર્ય બની જાય છે. રક્તદાન અન્ય માટે તો ખૂબ ફાયદાકારક છે જ પરંતુ આ રક્તદાતાના આરોગ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક હોય છે.
તણાવ દૂર કરે છે
જ્યારે તમે નિયમિતરીતે રક્તદાન કરો છો તો આ તમારા શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે અને આનાથી તમારુ સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે. રક્તદાન કરવાથી તમારુ સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે, તમે ઈમોશનલી સારુ અનુભવો છો. તમે પોતાને નકારાત્મક ભાવનાઓથી દૂર રાખી શકો છો અને એકલતાથી પોતાને બચાવી શકો છો.
હૃદય માટે શ્રેષ્ઠ
રક્તદાન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઓછુ થઈ જાય છે. આ લોઅર બ્લડ પ્રેશરના જોખમને પણ ઓછુ કરે છે. જો તમારુ બ્લડ પ્રેશર ખૂબ વધુ હાઈ રહે છે અને વેસ્ક્યુલર સિસ્ટમમાં રૂધિર ગંઠાઇ જવાની સમસ્યા રહે છે તો આનાથી હાર્ટ સ્ટ્રોક કે હાર્ટ એટેકનું જોખમ ખૂબ વધી જાય છે જ્યારે બ્લડ ડોનેટ કરવાથી આ જોખમ ઓછુ થઈ જાય છે.
હિમોગ્લોબિન લેવલ યોગ્ય રહે છે
જો તમે નિયમિતરીતે પોતાનું રક્તદાન કરો તો આનાથી તમારા બ્લડનું હિમોગ્લોબિન લેવલ પણ સારુ રહે છે અને તમારુ બ્લડ હેલ્ધી રહે છે. આનાથી શરીરમાં આયર્નનું પ્રોડક્શન પણ સારુ રહે છે.
ડિપ્રેશન દૂર કરે છે
જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને પોતાનુ રક્તદાન કરો છો તો તમારુ હેપ્પી હોર્મોન્સ પણ રિલીઝ થાય છે જે તમારા ડિપ્રેશનની સમસ્યાને દૂર કરી શકે છે. જે લોકો આ રીતે કાર્ય કરે છે અને સીધી રીતે સમાજની જરૂરિયાતોની પૂરી કરે છે તો તેમની અંદર દયાળુ ભાવ વધે છે અને તેઓ શ્રેષ્ઠ જીવન પસાર કરે છે જેનાથી ડિપ્રેશન જેવી સમસ્યા દૂર થઈ જાય છે.
કેલરી રિપ્લેસ કરે છે
રક્તદાન કરવાથી ઘણા અન્ય ફાયદા પણ છે જ્યારે તમે બ્લડ ડોનેટ કરો છો તો એકવારમાં શરીરમાંથી ઓછામાં ઓછા 500 કેલરી રિપ્લેસ થાય છે. જોકે આ ત્યારે સંભવ છે જ્યારે તમે રક્તદાન બાદ ઝીરો કેલરી ડ્રિન્ક કે સ્નેક્સનું સેવન કરો.