Get The App

આ 10 ઘરેલુ નુસ્ખા અપાવશે પગના સોજામાં રાહત

Updated: Jul 9th, 2019

GS TEAM

Google News
Google News
આ 10 ઘરેલુ નુસ્ખા અપાવશે પગના સોજામાં રાહત 1 - image

અમદાવાદ, તા. 9 જુલાઈ 2019 મંગળવાર

લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઈરોઈડના કારણે તેમના પગમાં સોજા રહે છે. તો કેટલીક વાર વધારે સમય સુધી પગ લટકાવીને બેસવાથી પણ પગ ફૂલી જાય છે અને દુખાવો થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે કેટલાક ઘરેલુ નુસ્ખા ઘણા કારગર સાબિત થાય છે. 

1. પગના સોજાને ઓછા કરવાનો સૌથી શ્રેષ્ઠ અને સરળ નુસ્ખો સિંધવ મીઠાનો ઉપયોગ છે. કેમ કે આમાં હાઈડ્રેટેડ મેગ્નેશિયમ સલ્ફેટના ક્રિસ્ટલ હોય છે. આ માંસપેશીઓના સોજાને ઠીક કરવામાં મદદ કરે છે. આને પાણીમાં ઓગાળીને 15 મિનિટ માટે પગ ડૂબાડી રાખવાથી આરામ મળે છે.

2. સિંહપર્ણી નામની જડી બુટી પણ પગના સોજાને દૂર કરવાની એક સારી રીત છે. આમાં હાજર એન્ટીઓક્સિડેન્ડનું ઉંચુ પ્રમાણ માંસપેશીઓનું ખેંચાણ ઓછુ કરે છે. આને મધ સાથે લેવુ સારુ હોય છે.

3. અજમો પણ પગના સોજાને દૂર કરવામાં સારો ઉપાય છે. આ શરીરમાં હાજર જમા થયેલા વધારાના તરલ પદાર્થને બહાર નીકાળે છે. આનાથી પગના સોજા દૂર થાય છે. આના ઉપયોગ માટે આની ચા બનાવીને પીવી સારી હોય છે.

4. કોબીજમાં એન્ટી ઈન્ફલામેટરી ગુણ હોય છે. પગના સોજા દૂર કરવા માટે આ પણ કારગર સાબિત થાય છે. આનો ઉપયોગ કરવા માટે કોબીજને ફ્રિજમાં રાખીને ઠંડા કરી લો. હવે આને પગમાં પટ્ટીની જેમ લપેટી લો. હવે અડધા કલાક બાદ પટ્ટીઓ ખોલી દો. આનાથી સોજા દૂર થઈ જશે.

5. સોજા અને દુખાવાથી છુટકારો મેળવવા આદુના તેલમાં એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફલામેટરી ગુણ હોય છે. આ ખૂનને વહેવાથી અટકાવે છે. આનાથી સમસ્યા દૂર થાય છે.

6. ઓલિવ ઓઈલ, તજ, દૂધ અને લીંબુના રસને મેળવીને આને પગમાં માલિશ કરવા પર પણ સોજા ઓછા થાય છે.

7. જો દોડવાના કારણે પગમાં સોજા આવે તો કાકડીના ટુકડાને કાપીને પગમાં મૂકી દો. આમાં એન્ટી ઓક્સિડેન્ટ પ્રચુર માત્રામાં હોય છે. તેથી આ ટિશૂજને હીલ કરવામાં મદદ કરે છે.

8. પગના સોજામાંથી છુટકારો મેળવવા નવસેકા પાણીમા થોડી ફટકડી નાખીને પગ ડૂબાડી દો. આનાથી બ્લડ સકર્યુલેશન સારુ રહેશે. 

9. બેકિંગ સોડાને ચોખાના પાણી સાથે મેળવીને પગની મસાજ કરવાથી માંસપેશીઓના ખેંચાણ દૂર થાય છે. આ પણ સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.

10. પગના સોજા દૂર કરવા માટે લવીંગના તેલથી માલિશ કરવી સારી રહે છે. આનાથી દર્દ પણ ઓછુ થાય છે.

Tags :