10માંથી 4 ભારતીયોને ખબર જ નથી કે તેમને ડાયાબિટીસ છે', મેડિકલ જર્નલમાં ચિંતાજનક દાવો
4 in 10 Diabetics do not know they have disease: ભારતને પહેલાથી જ વિશ્વનું ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવે છે. અહીં લગભગ 14 કરોડ લોકોને ડાયાબિટીસ છે, પરંતુ નવા લેન્સેટ રિપોર્ટમાં ભારતનું ખૂબ જ ભયાનક ચિત્ર બહાર આવ્યું છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10 માંથી 4 લોકોને ડાયાબિટીસ છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેમને આ બીમારી છે. જો ડાયાબિટીસના દર્દીને ખબર પડે કે, તેના શરીરમાં ટાઈમ બોમ્બની જેમ વધતો રહે છે અને અચાનક એક દિવસ તે કિડનીને આઉટ ઓફ કન્ટ્રોલ કરી દે છે. લેન્સેટ ગ્લોબલ હેલ્થ સ્ટડી અનુસાર ભારતમાં 40 ટકા ડાયાબિટીસના દર્દીઓને ખબર નથી કે તેમને આ રોગ છે. આમાં 20 ટકા એવા છે, જેમની ઉંમર 40 કે તેથી વધુ છે.
આ પણ વાંચો: વજન અને ચરબી ઘટાડવા માટે લાભકારી છે આ 5 લોટ, આજે તમારા ડાયટ પ્લાન કરો સામેલ
સમયસર આ રોગને ઓળખ ન થવી ખતરનાક
એક રિપોર્ટ પ્રમાણે લેન્સેટના સંશોધનમાં જાણવા મળ્યું છે, કે શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસના કેસ ગ્રામીણ વિસ્તારોની તુલનામાં બમણા છે. તેની પાછળનું મોટું કારણ લાઈફ સ્ટાઈલ છે. સૌથી મોટું કારણ શહેરી યુવાનોમાં ખોટી ખાવાની આદતો છે. અહીંના ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. તેના બદલે ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ અને જંક ફૂડ વધી રહ્યા છે, જે ઘણા રોગોનું કારણ માનવામાં આવે છે.
ભારતમાં 20 થી 79 વર્ષની ઉંમરના લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ
રિપોર્ટ જણાવ્યા પ્રમાણે ભારતમાં 20 થી 79 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં ડાયાબિટીસના કેસ ખૂબ જ વધારે છે. આપણે વિશ્વમાં બીજા નંબર પર છીએ. વર્ષ 2019 માં ડાયાબિટીસને કારણે 3 ટકા મૃત્યુ પણ થયા હતા. ભારતમાં તે સમયસર ઓળખાતું નથી, જેના કારણે આ રોગ ખતરનાક સ્તરે વધી રહ્યો છે.
મોટાભાગના લોકો ડાયાબિટીસને રોગ માનતા નથી
નિષ્ણાતો ચેતવણી આપતાં કહ્યું કે, હાઈ બ્લડ પ્રેશરના કેસ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. જો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર એકસાથે થાય છે, તો તે વધુ ખતરનાક છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ બંને રોગો માટે દવાઓની સમયસર ઉપલબ્ધતા ગંભીર ગૂંચવણોને અટકાવી શકે છે. પરંતુ મોટાભાગના લોકો ડાયાબિટીસને રોગ માનતા નથી. આ કારણે સમસ્યાઓ વધુ જટિલ બને છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગ્રામીણ આરોગ્ય સેવાઓનું માળખું હજુ પણ પૂરતું નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
હાલમાં જ સાત રાજ્યોના 19 જિલ્લાઓમાં ICMR, WHO અને અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કે ડાયાબિટીસ અને હાયપરટેન્શનનો સામનો કરવા માટે સમુદાય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કેટલી સારી રીતે સક્ષમ છે. પરિણામો દર્શાવે છે કે માત્ર 40 ટકા પેટા-કેન્દ્રો (SC) આ રોગોની સારવાર કરી શક્યા હતા અને ઘણા કેન્દ્રોમાં મૂળભૂત દવાઓ પણ ઉપલબ્ધ નહોતી. મૂલ્યાંકન કરાયેલા 105 SC કેન્દ્રોમાંથી, લગભગ એક તૃતીયાંશ પાસે ડાયાબિટીસની સારવાર માટે વપરાતી મેટફોર્મિન ગોળીઓનો સ્ટોક નહોતો જ્યારે લગભગ 45 ટકા કેન્દ્રોમાં હાઇપરટેન્શન માટે સૂચવવામાં આવતી એમલોડિપાઇન ગોળીઓનો અભાવ હતો.
આ પણ વાંચો: કમ્પ્યુટર સામે બેસી રહેવાથી કમર કે પીઠ દર્દની સમસ્યાથી પીડાતા હોવ, તો કરો આ યોગાસન
ડાયાબિટીસથી કેવી રીતે બચવું
નિષ્ણાતો કહે છે કે, ડાયાબિટીસથી બચવા માટે લાઇફ સ્ટાઈલમાં સુધારો કરવો ખૂબ જ જરુરી છે. તમે જેટલું વધુ કુદરતી વસ્તુઓ પર આધાર રાખશો, તેટલું જ તમે રોગોથી સુરક્ષિત રહેશો. ખાવા-પીવામાં સો વર્ષ જૂની ભારતીય પરંપરાનું પાલન કરો. બધી વસ્તુઓ શુદ્ધતાવાળી હોવી જરુરી છે. તેમાં રિફાઇન્ડ, પ્રોસેસ્ડ અને રસાયણોની ભેળસેળ ન હોવો જોઈએ. દરરોજ અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ફળો વગેરે ખાઓ. પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ, પેકેજ્ડ વસ્તુઓ વગેરેથી દૂર રહો. આ સાથે, નિયમિત કસરત કરો. પૂરતી ઊંઘ લો, પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને તણાવથી દૂર રહો.